SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જ નહીં પરંતુ વૈદિક કે બૌદ્ધ, કોઈ પણ ભારતીય આર્યધર્મની દૃષ્ટિએ આ અભ્યાલેખો ખૂબ જ ઉપયોગી અને માર્ગદર્શક છે. શ્લોક, સૂક્ત, સૂત્ર, સ્તોત્ર વગેરે તાત્ત્વિક રીતે ભિન્ન છે અને એમાં મંત્ર” તો ભારતીય આર્યધર્મની જ વિશેષતા છે. મુખ્યમંત્રના માહાત્મ્યની સ્થાપના કરતાં અનેક અભ્યાસલેખો ભારતીય આર્યધર્મમાં મળે છે પરંતુ આવા મંત્રના કેટકેટલા પાર્કો કેટકેટલી સૂક્ષ્મતાથી વિચારવાં જોઈએ, એનું સ્પષ્ટ દિશાસૂચન આ લેખ શ્રેણીમાં જોવા મળે છે. આ લખનારે નવકાર, પંચાક્ષર અને બૌદ્ધમંત્રો વિશેનાં અનેક અર્થદર્શનો, વિવરણો, માહત્મ્યો, હિંદીગુજરાતી-અંગ્રેજી સંસ્કૃત જેવી ભાષાઓમાં વાંચ્યાં છે, પરંતુ રમણભાઈએ મંત્રના બધાં જ અંગો ૫૨ જે પરિશીલન કર્યું છે તે અન્યત્ર જોવા મળતું નથી. ભારતીય આર્યધર્મના મંત્રોનો સાંગોપાંગ વસ્તુનિષ્ઠ અભ્યાસ ક૨વાની એક નવીન અને મૌલિક પરિપાટી અહીં સિદ્ધ થતી જોવા મળે છે. પર્વ ભારતીય આર્યધર્મનો પ્રાણ છે, આચારમૂલક ચાલક બળ છે. એના માધ્યમે જ ધર્મ એના પ્રયુક્તરૂપમાં In applied form અનુયાયીના જીવનમાં ઊતરી આવે છે. ધર્મના મૂળભૂત સ્વત્વ અને તત્ત્વને આવા ધાર્મિક ઉત્સવો જ પ્રગટ કરે છે. અહીં રમણભાઈ પર્વની આરાધના કેવી રીતે કરવી અને તેની સાથે કઈ-કેટલી ભાવના અને આદર્શો સંકળાયેલાં છે, ત્યાગ-સંયમ-તપશ્ચર્યા અને કરુણા આવાં પર્વો દ્વારા કેવી રીતે સિદ્ધ થાય છે તે દર્શાવે છે. અહીં કલ્પસૂત્ર જેવા ગ્રંથો, ભક્તામર જેવા અદ્ભુત સ્તોત્ર અને યશોવિજયજી જેવા ઉત્તમ આચાર્યોનાં જીવન-કાર્યનો પરિચય આપતાં અભ્યાસપૂર્ણ લેખો પણ આપ્યા છે. તે સાથે જ ઓળી, પ્રભાવના, પચ્ચક્ખાણ, નિગોદ, પરિગ્રહ, અવધિજ્ઞાન, અદત્તાદાન, ઉપસર્ગ, પરીષહ જેવા વિભાવો અને પર્યાયો તથા લોગરસ વગેરે સૂત્રો પણ આપ્યાં છે. મારી દૃષ્ટિએ તો આ કોઈ એક દૃષ્ટિપૂર્ણ સુશીલ અને રિશીલન-અભ્યાસરત વ્યક્તિએ એકલે હાથે તૈયાર કરેલો જૈનધર્મદર્શનનો જ્ઞાનકોશ જ છે. ડૉ. ૨મણભાઈનો હેતુ પણ આવા પ્રકારના જ્ઞાનકોષનું નિર્માણ કરવાનો જ હતો, એ તો ‘જિનતત્ત્વ’ શ્રેણીનાં આઠ પુસ્તકોથી સ્પષ્ટ થાય છે. એ શ્રેણી જ Growing and resulting into Encyclopedia of Jaindharma જેવી છે, જેમ જેમ નિમિત્ત મળતાં ગયાં, અભ્યાસ-પરિશીલન થતાં ગયાં તેમ તેમ પ્રબુદ્ધ જીવન' અને અન્ય પુસ્તકોના માધ્યમે રમણભાઈએ આ બધા જ અભ્યાસલેખો લખ્યા છે. એનું જ વિષયાનુસારી ને ક્રમાનુસાર સંપાદન તે આ ગ્રંથ છે. સામાન્ય રીતે ધર્મને વિષય કરીને લખનારના લેખનમાં અહોભાવ, ભક્તિભાવ વગેરેનો અભિનિવેશ મુખ્ય બની જાય છે. ડૉ. રમણલાલ ચી. શાહ આવી ન્યૂનતાથી Jain Education International २२ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy