SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પહોંચે અને એમાં જેટલી વાર લાગે તેને સ્વક્ષેત્ર પુગલ પરાવર્ત કહે છે. પરક્ષેત્ર પરાવર્ત એટલે કોઈ જીવ સમગ્ર લોકાકાશના એક એક પરદેશને જન્મક્ષેત્ર બનાવતાં બનાવતાં બધા જ પ્રદેશોને જન્મક્ષેત્ર બનાવી રહે ત્યારે એક પરક્ષેત્ર પરાવર્ત થાય. સ્કૂલ અને સૂક્ષ્મ કાળ પુગલ પરવર્ત પ્રવચન સારોદ્ધારમાં સ્થૂલ કાળ પરાવર્ત માટે કહ્યું છે : ओसप्यिणीह समया जावइया ते य निययमरणेणं । पुट्ठा कमुक्कमेण कालपरट्टो भवे थूलो ॥ [અવસર્પિણી (તથા ઉત્સર્પિણી)માં એના સમયોને જીવ ક્રમ-ઉત્ક્રમથી મરણ વડે સ્પર્શે ત્યારે સ્થૂલ કાળ પુગલ પરાવર્ત થાય.]. જીવ અવસર્પિણી અને ઉત્સર્પિણીના જેટલા ‘સમય’ થાય તે સર્વ સમયને ક્રમ-અક્રમથી મરણ દ્વારા સ્પર્શે ત્યારે એક ભૂલ કાળ પુગલ પરાવર્ત થાય. કોઈ જીવ અવસર્પિણીના પ્રથમ “સમયે મરણ પામ્યો ત્યાર પછી તે એ જ અથવા બીજી અવસર્પિણીના બીજા સમયે મરણ પામે તો તે સમય ગણાય. વચ્ચે તે અવસર્પિણીના પંદરમા કે પચાસમાં કે અન્ય કોઈ સમયે મરણ પામે તો તે ન ગણાય. તેવી રીતે અવસર્પિણીના બધા જ સમવને અનુક્રમે સ્પર્શવા જોઈએ. આ રીતે જીવ ઉત્સર્પિણી અને અવસર્પિણીના એટલે કે એક કાળચક્રના સર્વ સમયોને અનુક્રમે મરણ વડે સ્પર્શે ત્યારે તે એક સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત થયો કહેવાય. સ્કૂલ અને સૂક્ષ્મ ભાવ પરાવર્ત શ્રી પુગલ પરાવર્તસ્તવમાં સ્થૂલ ભાવ પરાવર્ત માટે કહ્યું છે : अनुभागबन्धहेतून् समस्त लोकप्रदेशपरिसंखयान् । मियत: क्रमोत्क्रमाभ्यां भावे स्थूलस्तदावर्त॥ સિમસ્ત લોકાકાશના પ્રદેશ પ્રમાણ અનુભાગ બંધના સ્થાનોને (હેતુઓને) કમ-ઉત્ક્રમથી મરણ પામીને જીવ સ્પર્શે ત્યારે ભાવ પૂગલ પરાવર્ત થાય.] સમસ્ત લોકાકાશના પ્રદેશ પ્રમાણે અનુભાગબંધના સ્થાનોને જીવ મરણ પામતો વ્યુત્ક્રમથી સ્પર્શે ત્યારે બાદર ભાવ પુગલ પરાવર્ત થાય. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયોમાં મંદ-મંદતર, તીવ્ર-તીવતર એમ એમાં ઘણી તરતમતા હોય છે. કષાયના અધ્યવસાયથી કર્મબંધ થાય. કષાયોની તરતમતાને લીધે અસંખ્ય અનુબંધસ્થાનો થાય છે. આ પ્રમાણે આઠે કર્મનાં પુગલોમાં રહેલા અસંખ્યાતા રસભેદોના પુદ્ગલપરમાણુઓને જીવ વ્યુત્ક્રમથી મરણ વડે સ્પર્શે ત્યારે બાદર ભાવ પરાવર્તન ૨૧૪ - જૈન ધર્મ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy