SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ઔદારિક શરીરવાળો જીવ ઔદારિક વર્ગણાના પુદ્ગલોનું પરાવર્તન કેવી રીતે કરે છે તે વિશે ભગવાન મહાવીર સ્વામીએ શ્રી ગૌતમસ્વામીને કહ્યું છે કે તે જીવે પ્રથમ ઔદારિક શરીરના નિમણને યોગ્ય પુદ્ગલ દ્રવ્યોને ઔદારિક શરીર રૂપે ગ્રહણ કર્યા છે, પછી તેને આત્મ પ્રદેશોની સાથે બદ્ધ કર્યા છે. (શરીરમાં ધૂળની જેમ પહેલાં સ્પર્શ કર્યો છે. પૂર્વ પરિણામમાંથી અન્ય પરિણામ રૂપે પરિમિત કર્યા છે. તેને પ્રસ્થાપિત કર્યા છે, તેને નિવિષ્ટ કર્યા છે. પોતે તેનો પ્રવેશ કરાવ્યો છે), અભિનિવિષ્ટ કર્યા છે (આત્માની સાથે સંપૂર્ણપણે સંલગ્ન કરાવ્યા છે, અભિસમન્વાગત કર્યા છે પુદ્ગલોનો રસાનુભવ કર્યો છે, પરિહાર કર્યા છે. સર્વ અવયવોથી રસાનુભવ કર્યો છે, અન્ય રૂપે પરિણામિત કર્યા છે), નિજીર્ણ (ક્ષીણ રસવાળાં) કર્યા છે, નિઃસૃત અને નિઃસૃષ્ટ પૃથક) કર્યા છે અને એ રીતે તે પુદ્ગલો આત્મ પ્રદેશોથી પૃથક્ અર્થાત્ છૂટાં થયાં છે. આમ જીવ પોતાના શરીરમાં ઔદારિક પુગલો ગ્રહણ કરીને, પરિણમાવીને પછી છોડી દે છે. એમાં ગૃહીત, બદ્ધ, સ્મૃ, કૃત, પ્રસ્થાપિત, નિવિષ્ટ, અભિનિવિષ્ટ, અભિસમન્વાગત, પ્રસ્થાપિત, પરિણામિત, નિજીર્ણ, નિઃસૃત અને નિઃસૃષ્ટ એમ તેર પ્રકારની પ્રક્રિયા થાય છે. એવી જ રીતે પ્રત્યેક વર્ગણાનાં પુદ્ગલ પરમાણુઓ વિશે આ તેર પ્રકારની પ્રક્રિયા થાય છે. ભગવતી સૂત્રમાં ભગવાન મહાવી સ્વામી ગણધર શ્રી ગૌતમસ્વામીને કહે છે : હે ગૌતમ ! સૌથી ઓછાં વૈક્રિય પુગલ-પરિવર્ત છે. એનાથી અનન્તગુણા વધારે વચન-પુદ્ગલ પરિવર્ત છે. એનાથી અનંતગુણા મન:પુગલ પરિવર્ત છે. એનાથી અનંતગુણા આન-પ્રાણ (શ્વાસોચ્છવાસ) પુદ્ગલ પરિવર્ત છે. એનાથી અનંતગુણા ઔદારિક પુગલ-પરિવર્ત છે. એનાથી અનંતગુણા તેજસ્ પુગલપરિવર્ત છે અને એનાથી અનંતાનુણ કામણ પુગલ પરિવર્ત છે. બીજી બાજુ આ સાત વર્ગણાના પુદ્ગલ પરાવર્તના નિવતના નિષ્પત્તિ) કાળનું અલ્પબદુત્વ કેવું છે તે વિશે ભગવાને કહ્યું છે કે સૌથી થોડો નિર્તના કાળ કાર્પણ પુગલ પરાવર્તનો છે. એનાથી તેજસ પુગલનો કાળ અનંતગુણો છે. એનાથી ઔદારિક પુગલનો કાળ અનંતગણો છે, એનાથી શ્વાસોચ્છવાસ પગલનો કાળ અનંત છે. એનાથી મન મુદ્દગલનો કાળ અનંતગણો છે. એનાથી વચન પુદ્ગલનો કાલ અનંતગણો છે અને એનાથી વૈક્રિય પુગલ પરાવર્તનનો નિવર્તન કાળ અનંતગુણો છે. આ પ્રમાણે ચૌદ રાજલોકમાં રહેલા સાત વર્ગણાના સર્વ પુદ્ગલ ૨૧૨ જ જૈન ધર્મ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy