SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ નમીએ શાસન-ભાસન, પતિતપાવન ઉવન્ઝય, નામ જપતાં જેહનું નવ નિધિ મંગલ થાય.' પંન્યાય શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ આ વિષે કહે છે, “ઉવાય’ શબ્દ પણ ઉપયોગકરણમાં તથા ધ્યાનના નિર્દેશમાં વપરાયેલો છે. અર્થાતુ શ્રી ઉપાધ્યાય ભગવંતો સદ્ય ઉપયોગી અને નિરંતર ધ્યાની હોય છે. શ્રી રત્નશેખરસૂરિએ શ્રીપાળરાજાની કથા “સિરિ સિરિવાલ કહા'માં ઉપાધ્યાયપદનું ધ્યાન ધરવાનું કહ્યું છે : गणतित्तीसु निउत्ते सुत्तत्थजझावणंमि उज्जुते । सज्जाए लीणमणे सम्मं झाएह उज्झाए ॥ ગિણ (ગચ્છ-ધર્મસંઘ)ની તૃપ્તિ (સારસંભાળ)માં નિયુક્ત (ગચ્છની સારણાવારણાદિ કરવાના અધિકારથી યુક્ત), સૂત્ર તથા અર્થનું અધ્યયન કરાવવામાં તત્પર અને સ્વાધ્યાયમાં લીન મનવાળા શ્રી ઉપાધ્યાય ભગવંતનું સમ્યક પ્રકારે ધ્યાન કરો] ‘સિરિ સિરિવાલ કહા'માં નીચેની ગાથાઓમાં પણ ઉપાધ્યાયપદના ધ્યાનનું મહત્ત્વ સમજાવતાં કહ્યું છે : जे बारसंघसज्झाय पारगा धारगा तयस्थाणं । तदुभय वित्थाररया ते हं झाएमि उज्झाए । अन्नणवहि बिहुराण पाणिणं सुअ रसायणं सारं । जे दिति महाविज्जा तेहं झाएमि उज्झाए ॥ मोहादि दळूनठप्प नाण जीवाण चेयणं दिति । जे केवि नरिंदा ईव ते हं झाएमि उज्झाए ॥ શ્રી રત્નશેખરસૂરિ ઉપાધ્યાય ભગવંત માટે વળી લખે છે : सूत्तत्थ संवेगमयं सुएणं, संनीरखीरागय विस्सुएणं । तम्हा हु ते उवज्झायराये, झाएह निच्वं पिकयप्पसाए ॥ સારા શુદ્ધ જલ સમાન સૂત્રમય, ખીર સમાન અર્થમય અને અમૃત સમાન સંવેગમય એવા પ્રસિદ્ધ શ્રુતજ્ઞાન વડે જે ઉપાધ્યાયરૂપી રાજા કૃપાપ્રસાદ આપી ભવ્યાત્માને પ્રસન્ન કરે છે તેમનું હંમેશાં ધ્યાન કરો. શ્રત એટલે આગમસૂત્રો. એ સૂત્રો શબ્દમય છે, તેમ જ અર્થમય છે. એમાં નિરૂપાયેલા પદાર્થનો બોધ સંવેગ જન્માવે એવો છે. આવા શ્રુતજ્ઞાનના દાતા ઉપાધ્યાય મહારાજ પોતાના શિષ્યોના ચિત્તને વિશુદ્ધ બનાવી એની પુષ્ટિ કરે છે. આવો કૃપાપ્રસાદ વરસાવનાર ઉપાધ્યાય મહારાજનું હંમેશાં ધ્યાન ધરવું જોઈએ. એમનું એવું ધ્યાન ધરવાથી એમના ગુણો પોતાનામાં આવે. ઉપાધ્યાયપદની મહત્તા એ ૧૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy