SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય.. પંચાધ્યાયીમાં ઉપાધ્યાયનાં લક્ષણો બતાવતાં કહ્યું છે : उपाध्याया8 समाधीयान् वादी स्याद्वादकोविदः । वाग्मी वाग्ब्रह्मसर्वज्ञः सिद्धान्तागमपारग४ ॥ कविर्जन्यग्रसूत्राणां शब्दार्थे: सिद्धसाधनात् । गमकोऽर्थस्य माधुर्ये धुर्यो वक्तृत्त्ववर्मनाम् । उपाध्यायत्वमित्यत्र श्रुताभ्यासोऽस्ति कारणम् । यदध्येति स्वंय चापि शिष्यानधयापयेद गुरुः । सेषस्तत्र व्रतादीनां सर्व साधारणो विधि १ । (ઉપાધ્યાય શંકાનું સમાધાન કરવાવાળા, વાદી, સ્યાદ્વાદમાં નિપુણ, સુવક્તા, વાગુ બ્રહ્મ, સર્વજ્ઞ એટલે કે શાસ્ત્રસિદ્ધાંત અને આગમોના પારગામી, શબ્દ અને અર્થ દ્વારા વાર્તિક તથા સૂત્રોને સિદ્ધ કરવાવાળા હોવાથી કવિ અર્થમાં મધુરતા આણનાર, વસ્તૃત્વના માર્ગના અગ્રણી હોય છે. ઉપાધ્યાયના પદમાં શ્રતાભ્યાસ મુખ્ય કારણભૂત હોય છે, કારણ કે તેઓ સ્વયં અધ્યયન કરતા હોય છે અને શિષ્યોને અધ્યયન કરાવનાર ગુરુ અર્થાતુ ઉપાધ્યાય હોય છે. ઉપાધ્યાયમાં તદુપરાંત વ્રતાદિના પાલનમાં મુનિઓના જેવી જ સર્વસાધારણ વિધિ હોય છે.] શ્રી પદ્મવિજયજી મહારાજે નીચેની કડીમાં ઉપાધ્યાયના વિનય ગુણનો મહિમા ગયો છે : ભારગદેશક અવિનાશીપણું આચાર વિનય સંકેતે જ, સહાયપણું ધરતાં સાધુ જી નમીએ એહિ જ હેતે જી.' ઉપાધ્યાય મહારાજના ૬ ૨૫ ગુણમાં વિનયનો ગુણ અનિવાર્યપણે સમાવિષ્ટ હોય જ. તેમ છતાં વિનય ગુણ ઉપર સકારણ ભાર મૂકવામાં આવે છે. એમનો વિનય ગુણ એમના ગુરુ ભગવંત પ્રત્યેનો છે. એ ગુણ એમના વ્યવહાર-વર્તનમાં દિવસરાત સ્પષ્ટપણે નીતરતો અન્યને જણાય છે. એથી જ એમની પાસે સ્વાધ્યાય કરનાર મુનિઓમાં પોતાના વાચનાદાતાનો ગુણ સ્વાભાવિક રીતે જ કેળવાય છે. તેઓ વિનીત બને છે. મુનિઓ સ્વાધ્યાય કરે અને છતાં એમનામાં જો વિનય ગુણ સહજપણે ન પ્રગટે તો એમના સ્વાધ્યાયનું બહુ ફળ ન રહે. વ્યવહારમાં કહેવાય છે જે વડીલોને માન નથી આપતો તે બીજાઓનું માન બહુ પામી શકતો નથી. લશ્કરી જીવનમાં કહેવાય છે કે, Only those who respecct their seniors can command respect from their juniors. આવશ્યક નિર્યુક્તિની ૯૦૩મી ગાથામાં “વિણયા' શબ્દ પ્રયોજાયેલો છે. ૧૬૨ જૈન ધર્મ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy