SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ [જેમની પાસે જઈને શિષ્ય અધ્યયન કરે છે તે ઉપાધ્યાય છે.) આવશયક નિર્યુક્તિમાં કહ્યું છે : ' उति उवओगकरणे वत्ति अ पावपरिज्जये होई । ज्ञात्ति अ झाणस्स कए उत्ति अ ओसक्कणा कम्मे ।। જેઓ ૩ એટલે ઉપયોગપૂર્વક, વ એટલે પાપકર્મનું પરિવર્જન કરતાં કરતાં, એટલે ધ્યાન ધરીને, ૩ એટલે કર્મમળને દૂર કરે છે તે ઉપાધ્યાય છે.] ‘રાજવાર્તિકમાં તથા સર્વાર્થ સિદ્ધિ માં ઉપાધ્યાયની વ્યાખ્યા આપતાં કહ્યું છે: विनयेनोपेत्य यस्माद् व्रतशीलभावनाधिष्टानादागमं श्रुताखमधियते इत्युपाध्यायः જેમની પાસે ભવ્યજનો વિનયપૂર્વક જઈને મૃતનું અધ્યયન કરે છે એવા વ્રતશીલ અને ભાવનાશાળી મહાનુભાવ ઉપાધ્યાય કહેવાય છે. , નિયમસારમાં શ્રી કુંદકુંદાચાર્યે ઉપાય મહારાજનાં લક્ષણો દર્શાવતાં કહ્યું रयणत्तयसंजुत्ता जिणकहियपयत्थदेसया सूरा । णिक्खस्वभावसहिया उवज्झाया एरिसा होंति ॥ રિત્નત્રયથી સંયુક્ત, જિનકથિત પદાર્થોનો ઉપદેશ કરવામાં શૂરવીર તથા નિકાંક્ષા ભાવવાળા એવા ઉપાધ્યાય હોય છે.] દિગંબર પરંપરાના “ધવલા’ ગ્રંથમાં કહ્યું છે : चोद्दस-पुव्व-महोपहिमहिगम्म सिवरित्थिओ सिवत्थीणं । सीलधराणं वत्ता होई मुणीसो उवज्झायो ॥ જેઓ ચૌદ પૂર્વરૂપી મહાસાગરમાં પ્રવેશ કરીને મોક્ષમાર્ગમાં સ્થિત છે તથા મોક્ષની ભાવનાવાળા શીલંધરોને મુનિઓને ઉપદેશ આપે છે એવા મુનીશ્વરો તે ઉપાધ્યાય છે.] ઉપાધ્યાય ભગવંતનો મહિમા કેટલો બધો છે તે શાસ્ત્રકારોએ એમના ગણાવેલા ગુણો ઉપરથી સમજાય છે. પંચપરમેષ્ઠિના કુલ ૧૦૮ ગુણ ગણવવામાં આવે છે. તેમાં અરિહંતના બાર, સિદ્ધના આઠ, આચાર્યના છત્રીસ, ઉપાધ્યાયના પચીસ અને સાધુના સત્તાવીસ ગુણ હોય છે. ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ નીચે પ્રમાણે ગણાવવામાં આવે છે : ૧૧ ગુણ : અગિયાર અંગશાસ્ત્ર પોતે ભણે અને ગચ્છામાં બીજાઓને ઉપાધ્યાયપદની મહત્તા ૧૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy