SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયોજાયાં છે. ધર્મશાસનરૂપી સામ્રાજ્યમાં આચાર્ય ભગવંતોને રાજા અથવા સમ્રાટ, ઉપાધ્યાયને દીવાન, સાધુને સુભટ તરીકે અને શ્રાવક-શ્રાવિકાને પ્રજાજન તરીકે વર્ણવવામાં આવ્યાં છે. આ શાસનમાં મૃતરૂપી ધનભંડાર દ્વારા પ્રજાનો કારભાર ચાલે છે. આ રીતે સૂરિરૂપી રાજા જિનશાસનરૂપી સામ્રાજ્ય ચલાવે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “નવપદ પૂજા'ની ઢાળમાં લખ્યું છે : નમું સૂરિ ચજા, સદ્ય તત્ત્વ તાજા; જિનેન્દ્રાગમે પ્રઢ સામ્રાજ્ય ભાજા. આચાર્ય મહારાજ માટે “ભાવવૈદ્યનું રૂપક પણ પ્રયોજાયું છે. તેઓ સંસારના જીવો જે કર્મજનિત દુઃખરૂપી રોગોથી પીડિત છે તેઓને પથ્યાપથ્ય સમજાવીને તત્ત્વજ્ઞાનરૂપી ઔષધ આપી સ્વસ્થ, નિરામય બનાવે છે. આચાર્ય ભગવંતને નાવિક તરીકે ઓળખાવવામાં આવે છે કારણ કે તેઓ જીવોને ડૂબતા બચાવે છે અને સંસારરૂપી સમુદ્રમાં પાર ઊતરવાનો ઉપાય બતાવે છે. - નવકારમંત્રમાં આપણે અરિહંત ભગવાન અને સિદ્ધ પરમાત્મા પછી આચાર્ય ભગવંતને નમસ્કાર કરીએ છીએ. નવકારમંત્રમાં અરિહંત અને સિદ્ધ દેવતત્ત્વ સ્વરૂપ છે અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ ગુરુતત્ત્વ સ્વરૂપ છે. એમાં પણ મુખ્ય ગુરુ તે આચાર્ય ભગવંત. જિન શાસનમાં ગુરુનો મહિમા અપાર છે, કારણ કે ગુરુ વિના જ્ઞાન નથી અને ગુરુ વિના મુક્તિ નથી. ગુરુ માટે શ્વેતામ્બર સંપ્રદાયમાં પંચિદિય' સૂત્ર સુપ્રસિદ્ધ છે. એમાં આચાર્ય ભગવંત-ગુરુ ભગવંતના ૩૬ ગુણ દર્શાવવામાં આવ્યા છે : પચિદિય સંવરણો, તહ નવવિહ બંભચેરગુત્તિધરો, ચઉવિહ કસાયમુશ્કે, ઈહ અઢારસગુણોહિં સંજુરો; પંચ મહાવયજુરો, પંચ વિહાયારપાલણ સમો. પંચ સમિઈતિગુત્તો. છત્તીસગુણો ગુરુ મજ્જ. આ છત્રીસ ગુણ આ પ્રમાણે છે : પાંચ ઇન્દ્રિયોને જીતવાવાળા (૫ ગુણ); નવવિધ એટલે નવ વાડસહિત બ્રહ્મચર્યનું પાલન કરનાર (લ ગુણ), ચાર કષાયથી મુક્ત (૪ ગુણ), પાંચ મહાવ્રતથી યુક્ત (૫ ગુણ), પાંચ પ્રકારના આચારનું પાલન કરનાર (૫ ગુણ), પાંચ સમિતિથી યુક્ત (૫ ગુણ) અને ત્રણ ગુપ્તિથી યુક્ત (૩ ગુણ)–એમ આચાર્યના ૩૬ ગુણ બતાવવામાં આવે છે. આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ બીજી રીતે પણ બતાવવામાં આવે છે : पडिरुवाई चउदस खंतीमाइ य दसविहो धम्मो । बारस य भावणाओ सूरिगुण हुँति छत्तीसं ॥ તિ–વરસનો સૂરી – આચાર્યપદનો આદર્શ ૧૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy