SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધશિલા ઉપર રહેલા મુક્તાત્માઓ કેવા હોય છે? કેવા નથી હોતા તે જાણવાથી તેનો કંઈક ખ્યાલ આવી શકે. આચારાંગસૂત્રમાં કહેવાયું છે : से ण दीहे ण हस्से ण वट्टे ण तंसे ण चउरंसे ण परिणंडले ण आइतंसे ण किण्हे ण नीले ण लोहिऐ ण हालिदे ण सुक्किले ण सुरभिगंधे ण दुरभिगंधे ण तित्ते ण कडुऐ ण कसाऐ ण एंबिले ण कऽखडेण ण मउण ण गुरुए ण लहुए ण सीए ण उण्हे ण णिष्धे ण लुक्ख ण काउ ण रुदे ण संगे ण ईत्थी ण पुरिसे ण अन्नहा, परिण्णे सण्ण उवमा ण विज्जति अरुवीसत्ता अपयस्स पयणत्थि सै ण सदे ण रुवे ण गंधे ण रसे ण फासे इच्चेव तिबेमि. સિદ્ધાવસ્થાના જીવો દીર્ઘ નથી, હૃસ્વ નથી, ગોળ નથી, ત્રિકોણાકાર નથી, ચતુષ્કોણાકાર નથી, પરિમંડલ (કંકણ)ના આકારના નથી, કાળા નથી, લીલા નથી, રાતા નથી, પીળા નથી, ધોળા નથી, સુગંધિત નથી, દુર્ગધવાળા નથી, તીખા નથી, કડવા નથી, કસાયેલા નથી, ખાટા નથી, મધુર નથી, ભારે નથી, હલકા નથી, શીત નથી, ઉષ્ણ નથી, સ્નિગ્ધ નથી, રૂક્ષ નથી, કર્કશ નથી, મૃદુ નથી, તેઓ સ્ત્રી નથી, પુરુષ નથી, નપુંસક નથી. એટલે જ તેઓને માટે કોઈ ઉપમાં નથી. તેઓ અરૂપી સત્તા છે અને અલક્ષ્ય છે. તેઓનું વર્ણન કરવાને કોઈ શબ્દ નથી, રૂપ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી. આમ, સિદ્ધ ભગવંતોને વર્ણવવા માટે કોઈ શબ્દ નથી. કે તેમની ઉપમા આપવા માટે, સરખાવવા માટે કોઈ પૌગિલક પદાર્થ નથી. આમ છતાં, અન્ય પક્ષે જોઈએ તો તેઓ અનંત ગુણથી યુક્ત છે. એમાં પણ એમના આઠ મુખ્ય ગુણ બતાવવામાં આવે છે. એ આઠ ગુણ તે આઠ કર્મના ભયથી પ્રગટ થતા ગુણ છે. શાસ્ત્રકાર કહે છે : दीहकालरयं जं तु कम्मं से सियमट्ठहा सियं धंतं ति सिद्धस्स सिद्धत्तमुवजायइ (દીર્ઘકાળનાં ઉપાર્જન કરેલાં આઠ પ્રકારનાં કર્મ જેમણે બાળી નાંખ્યાં છે, તે આત્મા સિદ્ધપણાને પ્રાપ્ત કરે છે.] ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “નવપદની પૂજામાં સિદ્ધ પદ માટે કહ્યું છે: કરી આઠ કર્મ ક્ષયે પાર પામ્યા, જરા જન્મમરણાદિ ભય જેણે વામ્યા, નિરાવરણ જે આત્મરૂપે પ્રસિદ્ધ થયા પાર પામી સદા સિદ્ધ બુદ્ધા. શાસ્ત્રકાર લખે છે : अप्टकर्म क्षयं कृत्वा शुक्लध्यानानलेन ये: चिदानंदमया मुक्ता सिद्धाध सिद्ध प्रयोजना४ ॥ ૧જ જૈન ધર્મ દર્શન For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy