SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકર પરમાત્માની દિવ્ય વાણી પાંત્રીસ પ્રકારના ઉત્તમ ગુણોથી યુક્ત હોય છે. એ ગુણો નીચે પ્રમાણે છે : (૧) સંસ્કારવત, (૨) ઉદાત્ત (ઊંચા સ્વરે) (૩) ઉપચારોપત (અગ્રામ્ય), (૪) ગંભીર શબ્દ ભેઘગંભીર), (૫) અનુનાદિ પ્રતિધ્વનિયુક્ત – સરસ પડઘો પડે, રણકો થાય), (૬) દક્ષિણ (સરળ), (૭) ઉપનીતરાગ માલકીસ વગેરે રોગોથી યુક્ત), (૮) મહાર્થ મહાન અર્થવાળી), (૯) અવ્યાહત પૌવપર્ય પરસ્પર વિરોધ વિનાની), (૧૦) શિષ્ટ, (૧૧) અસંદિગ્ધ (સંદેહરહિત), (૧૨) અપહૃતાન્યોત્તર (બીજાં કોઈ દૂષણ ન બતાવી શકે એવી, (૧૩) હૃદયગ્રાહી, (૧૪) દેશકાલાવ્યતીત, (૧૫) તત્ત્વાનુરૂપ, (૧૬) અપ્રકીર્ણપ્રસૃત, (૧૭) અન્યોન્યપ્રગૃહીત, (૧૮) અભિજાત, (૧૯) અતિસ્નિગ્ધ મધુર, (૨૦) અપરમર્મવિદ્ધ (બીજાંઓનાં મર્મને-રહસ્યોને ખુલ્લો ન કરનાર, બીજાનાં હૃદયને ન વીંધનાર), (૨૧) અર્થધમભ્યાસનેય, (૨૨) ઉદાર, (૨૩) પરનિંદાત્મોત્કર્ષવિપ્રયુક્ત, (૨૪) ઉપગતશ્લાઘ, (૨૫) અનાનીત, (૨૬) ઉપાદિતાચ્છિન્ન કૌતુહલ, (૨૭) અદ્ભુત (૨૮) અનાભિવિલંબિત, (૨૯) વિશ્વમવિક્ષેપ-કિલિકિંચિતાદિવિમુક્ત, (૩૦) અનેક જાતિસંશ્રયથી વિચિત્ર, (૩૧) આહિતવિશેષ–(બીજાં વચનોની અપેક્ષાએ વિશિષ્ટ), (૩૨) સાકાર, (૩૩) સત્ત્વપરિગ્રહ, (૩૪) અપરિખેદિત અને (૩૫) અવ્યુચ્છેદ. કોઈ કોઈ ગ્રંથોમાં આ પાંત્રીસ ગુણોનાં નામોમાં કે ક્રમમાં ફરક જોવા મળે છે. તીર્થંકર પરમાત્માના “શ્રવણપરમસૌખ્ય આપનાર દિવ્ય ધ્વનિનો મહિમા સમયે સમયે ગ્રંથકાર મહર્ષિઓએ વર્ણવ્યો છે. ઉ.ત., દિવ્યધ્વનિ પ્રાતિહાર્યનું વર્ણન કરતાં પ્રવચન સારોદ્ધારમાં કહ્યું છે : सरसतरसुधारससोदर४ सरभसविविधदेशापहृत मुक्तव्यापार-प्रसारितवदनैः कुरंगकुलैराकुलाकुलैरुत्कर्णैराकर्ण्यमान सकलजनानन्द-प्रमोददायी दिव्यध्वनिर्वितन्यते। શ્રેિષ્ઠતમ અમૃતરસ સરખો, કાનને અતિપ્રિય લાગતો તથા જે સાંભળવા માટે ચરવાનું ઇત્યાદિ કાર્ય છોડી દઈ આસપાસથી જ્યાં હરણોનાં ટોળેટોળાં દોડી આવે છે તથા સર્વ જનોને આનંદપ્રમોદ આપનારો એવો દિવ્ય ધ્વનિ (દેવો સમવસરણમાં) કરે છે.. દિવ્ય ધ્વનિનું વર્ણન કરતાં કલ્યાણ મંદિર સ્ત્રોત્રમાં શ્રી સિદ્ધસેન દિવાકર કહે છે : स्थाने गभीरहृदयोदधिसम्मवाया8 पीयूषतां तव गिर४ समुदीरयन्ति । पीत्वा यतः परमसंमदसंगभाजो भव्या व्रजन्ति तरसाऽप्यजरामरत्वम् ॥ હિં સ્વામિન ! ગંભીર હૃદયરૂપ સમુદ્રથી ઉત્પન્ન થયેલી તમારી વાણીને પંડિતો દિવ્ય ધ્વનિ ૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy