SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ મનમાં હોય છે અથવા જેમના મનમાં જાણવાની ઈંતેજારીથી પ્રશ્નો ઊઠે છે. એવા જીવોના મનનું સમાધાન સમવસરણમાં ભગવાનનાં માત્ર દર્શનથી કે દેશનાના શ્રવણથી પણ થઈ જાય છે. સમવસરણમાં તીર્થંકર ભગવાનનાં ચાર દિશામાં ચાર સરખાં રૂપ હોય છે. દરેક જીવને પોતાની સન્મુખ એવું એક જ રૂપ દેખાય છે. પરંતુ સમવસરણનો આપણે વિચાર કરીએ છીએ ત્યારે ચારે દિશામાં રહેલા ભગવાનનાં ચારે રૂપનો તાદશ ચિતાર આપણા મનમાં આવે છે. પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એવા ચાર પ્રકારના ધ્યાનમાંથી તીર્થંકર ભગવાનનું રૂપસ્થ ધ્યાન ધરવું હોય તો તેમાં સમવસરણમાં બિરાજમાન ભગવાનના ચતુર્મુખ સ્વરૂપનું ધ્યાન ધરવું વિશેષ લાભકારક છે. સમવસરણને વિષય બનાવીને આ રીતે જે ધ્યાન ધરાય છે તેને ‘સમવસરણ ધ્યાન' કહેવામાં આવે છે. હેમચંદ્રાચાર્ય-કૃત યોગશાસ્ત્ર', દેવભદ્રાચાર્ય-કત “સિરિપાસનાર રિલ' વગેરે ગ્રંથોમાં “સમવસરણ ધ્યાનની પ્રક્રિયા સમજાવવામાં આવી છે. સર્વ પ્રકારના કર્મક્ષયને માટે, વિશેષતઃ ભારે અંતરાય કર્મના ત્વરિત ક્ષય માટે “સમવસરણ ધ્યાન’ ઘણું ઉપકારક છે. તીર્થંકર પરમાત્મા જ્યાં દેશના આપે છે એ સમવસરણનું સ્વરૂપ એવું દિવ્ય છે કે એની આરાધના માટે શાસ્ત્રકારોએ તપ-જપ-ધ્યાન ઈત્યાદિની ધર્મક્રિયા પણ દર્શાવેલી છે. શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની ચૌદશના દિવસે, એવી રીતે બાર બાર મહિમાનાં કુલ ચોવીસ દિવસ માટે, સમવસરણ નિમિત્તે ઉપવાસ કરવાના વ્રતને “સમવસરણ વત' કહેવામાં આવે છે. સમવસરણ વ્રત દરમિયાન % હૈં નાદિનાશય સર્જી ના રાય શ્રી સર્વજ્ઞાય ઈત્પરમેષ્ટિને નમનો ત્રિકાલ જાપ કરવામાં આવે આમ, તીર્થંકર ભગવાનના સમવસરણનો મહિમા જૈન ધર્મમાં અપાર છે. © એ જૈન ધર્મ દર્શન For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy