________________
મતાવના.
આ જ્યોતીષ ગ્રંથની પ્રત જૂના ભંડારમાંથી ટઞા સહીત મારે હાથ આવતાં મેં એકવાર વાંચી જેથી મને સાધારણુ આનંદ થયા, પણ પુરતી સમજણ પડી નહી. ફ્રી વાંચવાનું જારી રાખતાં મને કાંઇક વિશેષ માહેતગારી મળી. આથી મારા મનમાં વિચાર થયો કે આ પ્રતના કાર્ય વિદ્વાન જેશીની પાસે શુદ્ધ ગુજરાતીમાં તરજુમા કરાવ્યા હૈય તે ધણા ઉપયોગી થઇ પડે; જેથી કેટલાક બેશીઓને મેં આ વ્રત બતાવી પશુ તેમની નજર નહીં પહેાંચવાથી ના પાડી. છેવટે રૂપનગઢ નિવાસી મારવાડી જેશી શ્રીયુત પરમાનદ્ન રામપાળજી કે જેમણે ન્યાતીત્રા ઘણા સારે। અભ્યાસ કર્યો છે, તેમની મુલાકાત લીધી, અને તેમને આ ગ્રંથનું ભાષાન્તર કરવા વિદીત કર્યું. તેઆશ્રીએ આ ગ્રંથ એકવાર તપાસી જવાબ આપ્યા, કે આ પુસ્તકનું શુદ્ધ ગુજરાતી ભાષાન્તર થવાની ખાસ જરૂર છે; આ ગ્રંથમાં ન્યાતીષના તમામ ગ્રંથૈાના સમાવેશ થાય છે, અને આ એકજ પુસ્તકથી માણસનું કામ સીદ્ધિદાયક થશે એમ મારૂ ધારવું છે. આ પુસ્તકમાં હું મ્હારાથી બનતી મદદ આપવા તૈયાર છું. આ પ્રમાણે તેઓશ્રીના હીમતભરેલા વચન સાંભળીને મ્હારા આનંદમાં આર વધારા થયા, અને ગમે તેમ થાય તેપણુ આ પુસ્તકને એકવાર જાહેરમાં લાવવા નિશ્ચય કર્યો. ત્યારબાદ આ પુસ્તકનું કામ શરૂ કીધું' પણ વચમાં એટલી હરકત આવી પડી, કે તે બેશીને ગુજરાતી ભાષાના બેએ તેવા અભ્યાસ નહી હેાવાથી કેટલેક ઠેકાણે શબ્દના પ્રાસ તથા દેશ રીતરીવાજના કાર્યની ભાષામાં ભંગ થવા લાગ્યા. આથી અમે એક વાડાસીના પુરાણી કે જે ગુજરાતી, સંસ્કૃત તથા જ્યેાતીષનું કાંઈક જ્ઞાન ધરાવતા હતા તેમને સાથે રાખી આ પુસ્તકમાં બનતી મહેનતે સુધારે।વધારે કરી તરજુમા કરાવ્યા છે. તેમ છતાં હજી પણ કેટલીક જગ્યાએ એઇએ તેવા પુરતા ખુલાસા થયા નથી . તેનું કારણુ એ, કે બન્ને ભાગ અમેને પાછળથી મળી આવ્યા. તેમાં લૈાક સિવાય સસ્કૃત ટીકા કે મા કાંઈ પણ હતું નહી, યંત્ર ઉપર મથાળું પણુ હતું નહીં; છતાં તે નેશીશ્રીએ પાતાની હીંમતથી ખુલાસા સહીત તરજુમા કર્યાં છે. કેટલેક સ્થળે વિષય બહુ ખારીક હાવાથી વાચકવર્ગને કંટાળા આવે એવા ભયથી ભાવાર્થ સ ંક્ષેપ (ટુકા)માં મૂકયેા છે. આ પુસ્તક તૈયાર કરાવવામાં જૈન મુનીશ્રીઓએ પણ પેાતાના કીમતી વખતને ભાગ આપી જે મદ કરી છે તેને માટે તે સર્વેના અમે અંતઃકરણપૂર્વક ઉપકાર માનીએ છીએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org