________________
( ૧૩૬ )
શ્રી નરચંદ્ર જૈન
તિષ ભાગ ૨ જે.
અથ શ્રી નવમાંશ જાણવાનો પ્રકાર, એક રાશીના નવ પાયા ગણાય છે, અને એક રાશીના ત્રીસ અંશ થાય છે. હવે જે તેને નવમાંશ કર હોય તે જે ગ્રહ સ્પષ છે તેના રાશી, અંશ, કલા, વિકલા તે ત્રીશ અંશના નવ ભાગ જાણવા. ૩ અંશ, ૨૦ કલાને પહેલો નવમાંશ થાય છે. એ રીતે નવ ભાગ સમજવા. જ્યારે નવમાંશ કરે હોય ત્યારે સ્પણ ગ્રહની રાશી જેવી. જે રાશી ધન તથા સિંહ હોય તે મેષ રાશીને આદ્ય લઈને ગણતાં જેટલા ભાગમાં જે રાશી આવે તે રાશીને નવમાંશ સમજ.
ઉદાહરણ. લગ્ન સિંહ એટલે ૪ રાશી, ૨૫ અંશ, ૩૦ કલા, ૪૩ વિકલા છે તેની નવમાંશમાં જોવાની રીત –
૩-૨૦ ૬-૪૦ ૧૦–૦ ૧૩–૨૦ ૧૬-૪૦ ૨૦–૦ ૨૩-૨૦
૨૬–૪૦ ૩૦-
એ નવ ગ્રહ.
માટે, ૪ રાશી, ૨૫ અંશ, ૩૦ કલાને નવમાંશ ૮માં ભાગમાં એટલે ર૯-૪૦માં આવ્યું. ત્યારે સિંહ રાશી હોય તે મેષ રાશીથી ગણતાં વૃશ્વિક રાશીને નવમાંશ લગ્નને આજે. એવી રીતે નવ ગ્રહ જેવા.
ધન રાશી અને સિંહ રાશીને નવમાંશ જેવામાં મેષ રાશીથી ગણવું; મેષ રાશીને નવમાંશ જે હોય તે મેષ રાશીથી ગણવું; વરખ, કન્યા, મકર, રાશીને નવમાંશ જ હોય તે મકર રાશીથી ગણવું; મીથુન, તુલા, કુંભ તથા વૃશ્ચિક રાશીને નવમાંશ જોવામાં તુલા રાશીથી ગણવું; કર્ક રાશીને નવમાંશ તથા મીન રાશીને નવમાંશ કરવામાં કર્ક રાશીથી ગણવું; એવી રીતે પિતપતાની રાશીના અંશ કલા પ્રમાણે નવમાંશ જાણો.
ઉપર બતાવેલા યંત્રમાં જે ઠેકાણે (વ) મુકયે છે તેની વર્ગોત્તમી સંજ્ઞા જાણવી. એટલે વર્ગોત્તમ સંજ્ઞાને ગ્રહ જાણ. ઉત્તમ જાણુ. બળવાન જાણુ, અને ૩-૨૦, ૬-૪૦ એ સંજ્ઞા અશ કલાની જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org