SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ કીવીષયા, ૯ કાંતિક એ પ્રમાણે કુલ ૯૯ પ્રકારના દેવતાને પર્યાપ્તા અપર્યાપ્તા ગણતાં દેવગતિના કુલ ૧૯૮ ભેદ થાય. સર્વ ચાર ગતિના મળીને ૫૬૩ ભેદ થાય. એ ૫૬૩ ભેદને મgશા વિગેરે દશ પદ જીવવિરાધના થવાના છે તેથી દશ પ્રકારે ગુણતાં પ૬૩૦ થાય. રાગ અને દ્વેષે કરીને વિરાધના થઈ હોય તેથી તે બે પ્રકારે ગુણતાં ૧૧૨૬૦ થાય. મન, વચન, કાયા એ ત્રણ ચગે કરીને વિરાધના થાય તેથી તેને ત્રણ ગણુ કરતાં ૩૩૭૮૦ થાય. તેને કરવું, કરાવવું, અનમેદવું એ ત્રણ પ્રકારે ગુણતાં ૧૯૧૩૪૦ થાય. તેને ત્રણ કાળ (અતિત, અનાગત, વર્તમાન) માં થયેલ વિરાધનાનો મિચ્છામી દુક્કડ દેવા માટે ત્રણગુણુ કરતાં ૩૦૪૦૨૦ થાય તેને અરિહંત, સિધ્ધ, સાધુ, દેવ, ગુરૂ અને આત્મા એ છ સાક્ષીવડે યુક્ત મિચ્છામી દુક્કડ દેવા માટે છ ગુણ કરતાં ૧૮૨૮૧૨૦ ભેદ મિચ્છામીદુકકડના થાય. ઈરિયાવહીના મિચ્છામીદુક્કડનું પ્રમાણ આ પ્રમાણે સિદ્ધાંતને વિષે કથન કરેલું છે. એ પ્રમાણે ઇરિયાવહી પ્રતિકમ્યા છે જેણે એવા સાધુ અને કર્યું છે સામાયક જેણે એવા શ્રાવક એક ખમાસમણ પૂર્વક कुसुमिण दुस्सुमिण उहडावणि राइय पायच्छित्त विसोहणथ्यं મિ ૩રર ઈત્યાદિ કહીને ચાર ચતુર્વિશતિસ્તવ (લગસ્સ) ચિતવવારુપ ૧૦૦ શ્વાસોશ્વાસ પ્રમાણુ કાર્યોત્સર્ગ કરે. સેવાધિરૂપ કુસ્વમ લાગેલ હોય તે ૧૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયેત્સર્ગ કરે.૧ રાગાદિમય સ્વમ તે કુસ્વમ અને દ્વેષાદિમય ૧ ચારે લોગસ્સ નવમા સુધી ૨૭-૨૭ શ્વાસોશ્વાસ પ્રમાણ ગણવા એટલે ૧૦૮ શ્વાસોશ્વાસ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002026
Book TitlePratikramana Hetu
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1905
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Principle
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy