SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ઉપર્યુક્ત થાય-જોડાય. જેમ દ્રવ્યાર્ચનને વિષે પવિત્ર થવા માટે બાહ્ય તનુશુદ્ધિ કરાય છે તેમ ભાવાચનને વિષે પવિત્ર થવા માટે ઇરિયાવહી પડિક્કમીને નિર્મળ ચિત્તવંત થવાનું છે.” આ પ્રમાણેની અનેક પ્રકારની યુક્તિ અને ઉક્તિ વડે સિદ્ધ હાવાથી પ્રથમ ઇરિયાવહી પડિમે, ઇરિયાવહીમાં ૫૬૩ પ્રકારના જીવા પ્રત્યે મિચ્છા દુક્કડ દેવાય છે. તે જીવાના ભેદ આ પ્રમાણે નર્ક ગતિના ૧૪ ભેદ, તિર્યંચ ગતિના ૪૮ ભેદ, મનુષ્ય ગતિના ૩૦૩ ભેદ અને દેવ ગતિના ૧૯૮ ભેદ–એમ ચાર ગતિના મળીને ૫૬૩ ભેદ થાય. તે પૃથક્ પૃથક્ બતાવે છે–સાત નર્કના પર્યાસા અને અપર્ચામા ગણતાં ચાદ ભેદ થાય. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને સાધારણ વનસ્પતિકાય એ પાંચેના સૂક્ષ્મ, ખાદર અને પર્યાપ્તા અપર્યાપ્તા ગણતા વીશ ભેદ તથા પ્રત્યેક વનસ્પતિકાય અને વિકલેંદ્રી (એઇંદ્રી, તે ઇન્દ્રી, ચારેંદ્રી) એ ચારના પર્યામા અપર્યાપ્તા ગણતાં આઠ ભેદ તથા જળચર, થળચર, ખેચર, ઉરપરી અને ભુજપરી એ પાંચ પ્રકારના તિર્યંચ પંચદ્રીના સમુર્છમ, ગર્ભુજ તથા પર્યાસા અપર્યાપ્તા ગણતાં વીશ ભેદ, એમ સર્વ મળીને તિર્યંચ ગતિના ૪૮ ભેદ થાય.૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતરદ્વીપ કુલ ૧૦૧ ક્ષેત્રાના મનુષ્યને ગર્ભજ પર્યાપ્તા, ગર્ભજ અપર્યાપ્તા અને સમુÛમ અપર્યાપ્તા એમ ત્રણ પ્રકારે ગુણતાં મનુષ્યગતિના ૩૦૩ ભેદ થાય. ૧૦ ભુવનપતિ, ૧૫ પરમાધામી, ૧૦ તિયંગ્ ઝુંભક, ૮ જંતર, ૮ વાણવ્યંતર, ૫ ચરજ્યાતિષી, ૫ સ્થિરજ્યાતિષી, ૧૨ દેવલેક, ૯ ત્રૈવેયક, પ અનુત્તરવિમાન, ૩ ૧ એમની સ્થિાત પાંચ ભરત અને પાંચ ઐરવતના કુલ ૧૦ વૈતાઢય વિષે જાણવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002026
Book TitlePratikramana Hetu
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1905
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Principle
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy