SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ લાયક દોષ કર્યો હાય તે પણ મૂલ પ્રાયશ્ચિત્ત સુધીને લાયક ગણાય. અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત કેટલાક દોષને માટે જઘન્ય છ માસ સુધી અને ઉત્કૃષ્ટ વર્ષ સુધીનું અપાય છે તથા કેટલાક દોષને માટે જઘન્ય વર્ષ અને ઉત્કૃષ્ટ બાર વર્ષ પર્યંત અપાય છે. તીર્થંકર, ગણધર અને પ્રવચનના તિરસ્કાર કરનારને માટે પ્રથમ મુદ્ભુત કહી છે, અને હાથે કરીને કાઇને મારનાર તથા સ્વધર્મી અથવા અન્ય ધીની ચેારી કરનાર વિગેરે દ્વાષ સેવનારને માટે બીજી મુદત કહી છે. આ દશ પ્રાયશ્ચિત્ત માંહેના છેલ્લા એ પ્રાયશ્ચિત્તના ચૌદ પૂર્વી અને પ્રથમ સંહનનના વિચ્છેદ થવા સાથે વિચ્છેદ સમજવેા અને ખાકીના આઠ પ્રકારના પ્રાયશ્ચિત્ત ફુપસદ્ધસૂરિ પર્યંત એટલે પાંચમા આરાના છેડા પર્યંત જાણવા. પ્રતિક્રમણ એ દશ પ્રાયશ્ચિત્ત માંહેનું બીજું પ્રાયશ્ચિત્ત છે, તેના અર્થ આ પ્રમાણે— स्वस्थानाद्यत्परस्थानं प्रमादस्यवशाद्गतः । तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते ॥ પ્રમાદવશે પેાતાના સ્થાનથી પરસ્થાને ગયેલાએ મૂળસ્થાને પાછું ફરવું તેનું નામ પ્રતિક્રમણ.” જીવનું સ્વસ્થાન તે સ્વધર્મ અને પરસ્થાન તે અતિચાર જાણવા. એમાં સાધુને પંચ મહાવ્રત સ્વરૂપ સ્વસ્થાન અને શ્રાવકને ખારવ્રત રૂપ સ્વસ્થાન જાણવું. પ્રમાદના વશથી પેાતાના આચરણમાં અતિચાર લાગ્યા હાય એટલે આત્મા સ્વધર્મ-સ્વસ્થાનથી ચૂકી પરધર્મ-પરસ્થાન જે અતિચાર તેને વિષે ગયેા હાય-તે થકી નિવર્તવું–પાછુ ફરવું તેનું નામ પ્રતિક્રમણ છે. યંત્તાસૂત્રમાં એજ હકીકત છે, કારણ કે લાગેલા અતિચારની આલેાચના મિથ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002026
Book TitlePratikramana Hetu
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1905
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Principle
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy