SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ सयणासणन्नपाणे, चेइअ जइ सिन्ज काय उच्चारे। समिई भावण गुत्ती, वितहायरणे अईआरो ॥१॥ ભાવાર્થ-શયન, એટલે સંસ્તારકાદિ, આસન એટલે પીઠકાદિ અને અનપાન–તેટલું અવિધિએ ગ્રહણ કરવાથી, ચિત્ય એટલે ચિત્યને વિષે અવિધિએ વંદન કરવાથી–તિ એટલે મુનિએને યથાયોગ્ય વિનય ન કરવાથી-શય્યા એટલે વસતિ વિયે અવિધિએ પ્રમાર્જના વગેરે કરવાથી–કાય એટલે સ્ત્રી આદિથી યુક્ત સ્થાનને વિષે રહેવાથી-ઊચ્ચાર એટલે પુરીષનું વિષમ સ્થાનને વિષે વ્યસર્જન કરવાથી–પાંચ સમિતિ, બાર ભાવના અને ત્રણ ગુપ્તિ વિગેરેનું અવિધિએ સેવન કરવાથી અથવા નહિ સેવન કરવાથી-વિગેરે ક્રિયામાં વિતથાચરણ થવાથી અતિચાર દેષ લાગે. તેમાંથી આખા દિવસમાં પિતાને જે અતિચાર લાગ્યા હોય તે સંભારી ધારણ કરી રાખવા. તેમાં અનુકમે જે જે પ્રમાણે લાગ્યા હોય તે તે પ્રમાણે પણ ગઠવી રાખવા. અને તેમાંથી પહેલા લઘુ દેષ અને પછી ગુરૂ દેષ એમ પણ બેઠવી રાખવા. ગુરુ મહારાજ એ ગાથા સંબંધી અર્થનું બે વખત ચિંતવન કરે કારણ કે શિષ્યને દિવસમાં તે તે ક્રિયા સંબંધી ઘણું યાદ કરવાનું હોય, તેથી તેમ થવાથી તેમને પુરતો વખત મળી શકે. શિષ્ય સર્વ દેષનું સ્મરણ કરી રહ્યા હોય અને ગુરુને પારતાં વાર લાગે છે તેટલે વખત ધર્મ દયાન અને શુકલ ધ્યાન થાય. * વડીનીતિ. * વિપરિત આચરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002026
Book TitlePratikramana Hetu
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1905
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Principle
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy