SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ જ આ પ્રમાણે સ્તુતિ કરીને શક્રેન્દ્ર પ્રભુને માતાને સોંપ્યા. ત્યાં પાંચ દેવીઓને ધાત્રી તરીકે નિયુક્ત કરી વિદાય થયા. ત્યાર પછી પ્રાતઃકાળે પુત્રજન્મના શુભ સમાચાર { લાવનાર દાસીને ભેટ આપી, દાસીપણાથી મુક્ત કરી સમુદ્રવિજયે નગરમાં અત્યંત = મહાદાનપૂર્વક જન્મોત્સવ ઉજવ્યો. માતાએ ગર્ભકાળમાં સ્વપ્નમાં અરિમયી ચક્રધારા = 0 જોઈ હતી તેથી પુત્રનું નામ અરિષ્ટનેમિ પાડ્યું. તેઓ અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયા. i] યૌવનનાં પરાક્રમ સમુદ્રવિજયના ભાઈ વાસુદેવના પુત્ર કૃષ્ણ વાસુદેવ અર્ધચક્રી ઘણા બળવાન હતા. તે છે. એકવાર અરિષ્ટનેમિ મિત્રો સાથે દેવોથી રક્ષિત આયુધશાળામાં આવ્યા. ત્યાં અનેક છે પ્રકારનાં અસ્ત્ર, શસ્ત્ર, ચક્ર વગેરે તેમના જોવામાં આવ્યાં. ત્યાં પંચજન્ય શંખ જોતાં તે ઉપાડવા ગયા, ત્યાં શસ્ત્રગૃહના રક્ષકે તેમને પ્રણામ કરી વિનંતી કરી કે તમે કૃષ્ણના ૪ આ ભ્રાતા છો, બળવાન છો, છતાં આ શંખ ફૂંકવાને સમર્થ નથી. તેના સ્વામી કૃષ્ણ છે. એ જ રક્ષકની વાત સાંભળીને નેમિકુમારે હસીને તરત જ પોતાના મુખ વડે શંખને , = ફેંક્યો. તેના ભયંકર અવાજથી નગરમાં અંધાધૂંધી થઈ ગઈ. રાજ્યસભામાં સૌ ક્ષોભ છે પામી ગયા. હાથીઓ સ્તંભને તોડીને દોડી ગયા. કોટના કાંગરા હાલી ઊઠ્યા. બાળકો ગભરાઈ ગયાં. કૃષ્ણ પોતે ક્ષોભ પામીને વિચારવા લાગ્યા, મારા કરતાં પણ વિશેષ હું નો પ્રકારે આ શંખ ફૂંકનાર કોણ બળવાન છે ? 1]] આયુધશાળાના રક્ષકે કૃષ્ણ પાસે આવીને કહ્યું કે, “તમારા નાના ભ્રાતા અરિષ્ટનેમિએ કે છે આ શંખ ફૂંક્યો છે.” ત્યાં તો અરિષ્ટનેમિ પણ આવી પહોંચ્યા. કૃષ્ણ તેમનું સ્નેહયુક્ત આ સન્માન કરી યોગ્ય આસન આપ્યું. તેમના અદ્ભુત પરાક્રમથી તેઓ પ્રભાવિત થઈ છે ગયા. તેમને શંકા થઈ કે આ બળવાન નેમિકુમાર આ રાજ્યમાં સત્તાધીશ થશે ? આ શું શંકાનો ઇન્દ્ર ખુલાસો કર્યો કે તે નેમિકુમાર કંચન અને કામિનીથી વિરક્ત છે. તેઓ છે - રાજ્ય-લક્ષ્મીની ઇચ્છા નહિ કરે માટે તમે નિશ્ચિત રહેજો. છે છતાંય રાજ્યપરિવારમાં સૌ કુમારને સંસારમાં નાખવા માગતા હતા. એકવાર છે = વસંતઋતુમાં સૌ યાદવો ઉદ્યાનમાં ક્રિીડા કરવાને ગયા. નેમિકુમાર પણ સાથે હતા. કૃષ્ણને નેમિકુમાર પર ઘણો સ્નેહ હતો. આથી સત્યભામા તથા અન્ય રાણીઓ િનેમિકુમાર સાથે અનેક પ્રકારે ક્રીડા કરવા લાગી. કુમારને ઘણા શણગારથી સજાવ્યા. ૨ જિss sr3m ollit aro llyTI ||yi >lly | સી કે તે કે.જી : * કઈ
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy