SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ ભગવાન પાસે તેમની કોઈ યાચના કે અપેક્ષા ન હતી. આથી ભગવાનની જ્ઞાનગંગામાં પવિત્ર થવાની ભાવનાથી તેઓ તેમના ચરણમાં ઝૂકી ગયા. શાસ્ત્રજ્ઞ અને એ સર્વજ્ઞ મનાવતા એ સરસ્વતીપુત્ર બોલી ઊઠ્યા, “ભગવાન હું કંઈ જ જાણતો નથી. તત્ત્વ શું છે તે સમજાવો !” અને પછી તો અનેક પ્રશ્નો દ્વારા નિર્દોષભાવે તેમણે પ્રભુની વાડ્મયીમાં સ્નાન કરી પવિત્રતાની ક્ષિતિજે પહોંચવા લાગ્યા. ભગવાન પણ ગૌતમને સતત જાગૃત રાખતા. “હે ગોતમ, એક ક્ષણનો પ્રમાદ ન કરતા.” “ભગવાન, પ્રમાદ શું છે ?” એમના પ્રશ્નમાં બાલસુલભ નિર્દોષતા નીખરતી. તે કે ભગવાન પણ તેવા જ પિતૃભાવે પ્રત્યુત્તર આપતા. “હે ગૌતમ ! જગતના જીવો એ ૬ માટે આત્મવિસ્મરણ એ જ પ્રમાદ છે. નિદ્રામાં ચક્ષુ ઉપર આવેલો અંધકાર તો સૂર્યોદય થતાં દૂર થાય છે, કે નિદ્રા દૂર થતાં દૂર થાય છે પરંતુ ચેતના પર આવતો અંધકાર ? દીર્ધકાળના સૂર્યોદય થવા છતાં દૂર થતો નથી. આત્માની સ્મૃતિ તે જાગરણ છે. તે 2 અપ્રમાદ છે. પરમાત્મા પ્રત્યેનો અભિગમ છે.” કે ભગવાને પોતે સાધનાકાળમાં કરેલા જાગરણના અનુભવનો મંત્ર ગૌતમને આપીને છે સાચા ગુરુત્વને પ્રગટ કર્યું. ગૌતમ પણ સાચા જિજ્ઞાસુ શિષ્ય હતા. વારંવાર અનેક શિષ્યોના સમૂહમાં ભગવાન કહેતા કે “ગૌતમ, ક્ષણનો પ્રમાદ ન કરો.” ત્યારે તેઓ – વધુ આત્મ-અવલોકન પ્રત્યે ઝૂકી જતા. લઘુતાભાવે તે શીખને સ્વીકારી પોતાની જાતને ધન્ય માનતા. * ભાઈ ! તમને અન્યની હાજરીમાં પ્રશંસા ગમે ને ? પણ જો તમને કોઈ ગુરુ કે - વડીલ કિંઈ શીખ આપે ત્યારે તમારું મુખ લીમડાના રસપાન વગર પણ કડવાશ છે અનુભવે કે નહિ ? તેમાંય તમારું કોઈ ઉચ્ચપદ હોય, અને સમૂહમાં વારંવાર તમને ૩ ટકોરવામાં આવે તો તમે ગુરુની વાત્સલ્યતાનો સહર્ષ સ્વીકાર કરો ને ? કરો તો તમે મહાવીર કે ગૌતમના વારસદાર ખરા. ગોશાળક થવું ગમતું ન હોય તો તમારે ગૌતમની નિર્દોષતા અને લાઘવતાને આત્મસાત્ કરવી પડશે. તેમના જેવું સમર્પણનું સત્ત્વ ધારણ કરવું પડશે. અને આજ્ઞાંકિતપણામાં તમારે આંધળા બની જવું પડશે. એવું છે Jain Education International verowe R For Private & Personal Use Only VS V YVOaxaravn www.jainelibrary.one :AVA
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy