SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ એ ચંદના પર શું શું વીત્યું? તે ચંદના પોતે પણ સમજી શકી ન હતી કે વાળંદ છું. આ પાસે તેના કેશકલાપનો નાશ શા માટે કરવામાં આવ્યો ? અરે ક્યા અપરાધ માટે તેને પણ છે પગમાં બેડી પહેરાવવામાં આવી? કયા ગુના માટે તેને ઘસડીને ઓરડામાં પૂરી દેવામાં છે આવી? કયા કારણસર તેને સુધાથી પીડિત કરવામાં આવી? શેઠની કે ચંદનાની બુદ્ધિમાં કંઈ વાત બેસતી ન હતી. છતાં નવકારમંત્રના રે આ શરણથી જે સત્ત્વ પ્રગટ થયું, તેણે ચંદનાને એક બળ આપ્યું કે તે ચંદનની જેમ શાંત- શીતળ ભાવે સમય કાપતી રહી. ન તેને રાજ્યનાં સુખોની સ્મૃતિએ સતાવી, ન તેને આ દિવસોના દુઃખે દીન કરી. ભાગ્યને દોષ દેતી બધી પ્રતિકૂળતાઓ હોવા છતાં નવકારમંત્ર છે દ્વારા તેણે ભગવાન મહાવીરના શરણમાં મનને સમર્પણ કર્યું. છે. વાત્સલ્યમૂર્તિ ધનાવહ ક્ષોભ પામીને ઊભા રહી ગયા, છેવટે દાસીએ શેઠને કહ્યું, પણ છે કે ચંદના ત્રણ દિવસની ભૂખી છે. શેઠે તરત જ તેને ઓરડાની બહાર લાવી ઉંબરાને આગળ બેસાડી, રસોડામાં ભોજનની તપાસ માટે ગયા. પણ ભોજન માટે કંઈ ની હિં મળ્યું. ફક્ત પશુઓ માટે રાખેલા બાફેલા અડદના બાકુળા મળ્યા, તે તેમણે ત્યાં જ િપડેલા એક સૂપડામાં રાખીને તેને ખાવા આપ્યા, અને શીવ્રતાએ ઘરની બહાર નીકળી આ બેડીને તોડવા લુહારને બોલાવવા દોડ્યા. ઈ સજળ નયનવાળી ચંદના પગની જંજીરો અને સૂપડામાં રહેલા બાકુળાને જોતી . વિચાર કરે છે. અહો દેવ ! કેવી તારી ગહનતા છે કે સંસારના જીવો તારા નચાવ્યા છે. નાચે છે ? રાજકન્યા વસુમતીનાં લાડપાન ક્યાં ? અને આજની ચંદનાના આ જ અપમાનજનક પ્રસંગો કયાં ? રાજમહેલનાં રસવંતાં ભોજન કયાં ? અને આ સૂકા બાકુળા કયાં ? છતાં જ્યારે ત્રણ દિવસે આ ભોજન મળ્યું છે તો તેનો પ્રતિકાર શોધ હિ. કરવો ? પણ જો કોઈ અતિથિ આવે તો પ્રથમ તેને જમાડીને જમું તો આ અશુભનો છે - ભાર હળવો થાય. - ચંદનાને બારણે, પ્રભુ પધાર્યા પારણે આખરે પાંચ માસ અને પચીસ દિવસથી ઘુમતા તપસ્વી મહાવીરનાં ચરણ તેમને ગ, ચંદના પાસે લઈ આવ્યાં. પ્રભુને નિહાળીને ચંદનાનું પડતું હૃદય હસી ઊઠ્યું. આંખમાં રિ an Education International YOYO W For Private & Personal Use Only www.jainelibrary.org omen'conna envoAYAVALAVAVAVA
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy