SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ છેબળદોને ભેગા કરી પ્રભુ પાસે મૂકી, (કેમ જાણે તેને વગર વેતને ચોકીદાર મળ્યો હોય !) ગાયો દોહવા ઘેર ગયો. બળદોને આવો નિર્દોષ ચોકીદાર ફક્યાં મળે ? આથી ! - બળદો તો મનમોજથી ચરતા ચરતા જંગલમાં દૂર દૂર નીકળી ગયા. છે ગોવાળિયો પાછો આવ્યો. તેણે બળદ જોયા નહિ તેથી તેણે પ્રભુને પૂછયું : “મારા રે છે. બળદો ક્યાં છે ?” પ્રભુ તો મૌન હતા. તેથી ગોવાળિયો બળદોને જંગલમાં શોધવા છે જ ચાલ્યો. છે હવે બળદો તો બીજી દિશામાં ગયેલા તે વળી ચરતા ચરતા પાછા આવી પ્રભુની પર . આજુબાજુ બેસી ગયા. ગોવાળિયો રાત્રે જંગલમાં ભટકીને પાછો આવ્યો. બળદો ત્યાં જ તો બેઠેલા જોઈને તેને ગુસ્સો આવ્યો. ભૂખ્યા, થાકેલા તેણે વિચાર્યું કે, આ માણસે ખબર છે હોવા છતાં મને આખી રાત હેરાન કર્યો. આથી બળદની રાશ - બાંધવાનું દોરડું - ક છે. હાથમાં લઈ પ્રભુને મારવા એવું ગોળ ભમાવ્યું કે, હમણાં પ્રભુના વાંસમાં પડ્યું સમજો, છે છે ત્યાં વળી પ્રભુભક્ત શકેન્દ્ર દીક્ષા ઉત્સવમાંથી રાજસભામાં માંડ પહોંચ્યા હતા, પણ ચિત્ત તો પ્રભુમાં લાગેલું હતું. તેમને થયું કે, પ્રભુ આજે પ્રથમ રાત્રિએ કયાં હશે ? - તેમણે તરત જ અવધિજ્ઞાનમાં જોયું. અરે ! આ શું? પ્રભુ પર તો દોરડું વીંઝાયું હતું ! ! છે અને પોતાની લબ્ધિ વડે તેમણે પ્રથમ ગોવાળિયાના હાથ થંભાવી દીધા અને શીધ્રપણે છે Tી ધરતી પર આવી ગોવાળિયાને શિક્ષા કરી, પોતે પ્રભુને પ્રણમી રહ્યા. . ઇદ્રની વિનંતી આ દૃશ્ય જોઈને ઇદ્ર ખૂબ દ્રવિત થઈ ગયા અને વિચાર્યું કે પ્રભુને અતિશય કઠણ ? છે ઉપસર્ગો થવાના છે. તેથી તેમણે પ્રભુને વિનંતી કરી કે, મને તમારી સેવામાં રહેવા દો. 5 આવા તો ઘણા ઉપસર્ગ થશે અને આપ તો દેહ પ્રત્યે જોતા નથી. પ્રભુએ જવાબ આપ્યો ! કે, “હે ઈંદ્ર ! કોઈ તીર્થંકર કોઈ દેવેન્દ્રની મદદથી કર્મોનો નાશ કરે અને કેવળજ્ઞાન છે જીિ પ્રગટ થાય, એવું કદાપિ થયું નથી કે થશે નહિ. વળી તીર્થકર સ્વાધીન હોય છે. ૬ પરદ્રવ્યોની સહાયથી રહિત હોય છે. તેઓ પોતાના જ પુરુષાર્થથી, પરાક્રમથી કેવળજ્ઞાન જ પ્રગટ કરે છે કે મોક્ષને વરે છે.” છતાં પણ ઇંદ્રથી રહેવાયું નહિ. તેઓ સિદ્ધાર્થ નામના ! પણ એક વ્યંતર દેવને પ્રભુની સંભાળ રાખવા આજ્ઞા આપી સ્વસ્થાને ગયા. in Education International For Private & Personal Use Only www.jainelibrary.org S
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy