SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ - મૂંઝાતાં કે વર્ધમાનને લગ્ન બાબત કેવી રીતે સંમત કરવા. મિત્રો દ્વારા પ્રસ્તાવ મૂક્યો. એ વર્ધમાનને એમાં સુખ નહિ પણ બંધન હતું. તેમણે મિત્રોને ઉપદેશ આપી વાતને ટાળી. છે ત્યારે ત્રિશલારાણી સ્વયં ત્યાં આવ્યાં, તેમણે વર્ધમાનને પોતાના મનોરથ જણાવ્યા. દિ વર્ધમાને વિચાર્યું કે આ જગતમાં જે ઋણ લઈ આવ્યો છું તે ભોગવવું પડશે. વળી રે - માતાપિતાને દુઃખ ન લાગે તેથી તેમણે માતાનો પ્રસ્તાવ મંજૂર રાખ્યો. માતાનું હૈયું ? આ પુલકિત થઈ ઊઠ્ય છતાં, તેની આંખમાં અશ્રુજળ ઊભરાઈ ગયાં. . વર્ધમાન ઊભા થયા. માને વંદન કરી પૂછવું; મા, તમારાં લોચન અશ્રુભીનાં કેમ થયાં? તમે જાતે શા માટે આવ્યાં. મને આજ્ઞા કરીને બોલાવવો હતો. - વત્સ, તારો વૈરાગ્ય જોઈને મૂંઝવણ થાય છે કે તું અમને છોડીને જતો નહિ રહે છે છે ને ! અમારું સમાધિમરણ કોણ કરાવશે ? અમે વૃદ્ધ થયાં છીએ. તારા વિયોગમાં છે ઝૂરીને મરણ પામશું તો શી ગતિ થશે? હિમા હે વત્સ ! તમે અનેક પ્રકારના ઉદયના કારણભૂત અમારા ગૃહે આવ્યા છો, તે છે. અમારો મહાપુણ્યોદય છે. તમારું અવલોકન કરતાં તૃપ્તિ થતી નથી. છું હે વત્સ! અમે જાણીએ છીએ કે તમે જન્મથી વૈરાગી છો. સંસારવાસથી વિરક્ત છો, જ તમે અમારા પરની અનુકંપાથી ગૃહવાસમાં રહ્યા છો, તે તમે દુષ્કર કૃત્ય કર્યું છે. પરંતુ છે જિ. અમને તૃપ્તિ થતી નથી. માટે યશોદા નામની ગુણવાન કન્યા સાથે વિવાહ-સંબંધ કરો. આ છે. વર્ધમાન તો જ્ઞાની હતા, જગતનું સ્વરૂપ જાણતા હતા. જગતના સંબંધોના, સ્નેહના છે કિ તાણાવાણા તેમણે જોયા હતા. અને માતાને સમજાવ્યાં, આશ્વાસન આપ્યું કે તમારી છે? છે. ભાવના પ્રમાણે તમારો પુત્ર આશા જાળવશે. સંસારમાં છતાં અસંસારપણે રહેતાં એને પણ આવડે છે. . વર્ધમાનનાં લગ્ન યશોદા સાથે થઈ ગયાં. દેવોએ અને માનવોએ ઉત્સવ માણ્યો. સિ વર્ધમાન ભોગમાં હોવા છતાં જાગૃત હતા. લેપાઈ જવાનો સંભવ ન હતો. યશોદા પણ શિક ગુણવાન રાજા સમરવીર અને યશોદયા રાણીનું કન્યારત્ન હતું. વર્ધમાનની વેરાગી દશાની વાત જાણતી હતી, પણ તેણે વિચાર્યું કે આવો યોગ કયાંથી મળે ? વર્ધમાન િરાગી નહિ થાય તો તેમની સેવાનો લાભ મળશે. અને તેમને માર્ગે ચાલવાનું સામર્થ્ય છે? મળશે તો જીવન ધન્ય બનશે. Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy