SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ આચારને સેવે છે. યોગમાં પોતાના જેવી પ્રગતિ છે, તે પ્રમાણે યોગને આરાધે છે. અને જ્યાં જે નયનો આચાર છે, તે સેવે છે. તેવો સાચો જૈન કોઈ એકાંત નયનું સેવન કરીને મિથ્યાચારને સેવતો નથી. મારગ અનુસારી ક્રિયા, છેદે સો મતિ હીન, કપટ ક્રિયા બલ જગ ઠગે, સોભી ભવજલ મીન. છંદ-૯૫ મોક્ષમાર્ગ એક જ છે, તેને અનુસરનારી ક્રિયામાં જીવોની ભૂમિકાનુસાર ભેદ હોય છે. પોતે જે ભૂમિકાએ હોય તે ભૂમિકાએ મોક્ષમાર્ગમાં સ્થિર કરનારી ક્રિયાનો છેદ કરે તે મતિહીન છે, કોઈને બાહ્ય જ્ઞાનાદિથી સામાન્ય ક્ષયોપશમ થયો હોય અને તેના બળે કપટથી જગતને ઠગે તો તે પણ સંસારસમુદ્રમાં માછલાની જેમ પરિભ્રમણ પામે છે. મોક્ષમાર્ગ જેવો શુદ્ધ અને સૂક્ષ્મ છે તેવા કેટલાય પડવાના ભયસ્થાનોવાળો છે, જો કે મોક્ષમાર્ગ સ્વયં તો નિર્ભય છે. પરંતુ તેના સાધનાકાળમાં સવિશેષ યોગમાર્ગીને કેટલીક લબ્ધિઓ રિદ્ધિ કે સિદ્ધિઓ પ્રગટ થતી હોય છે, તેવા સમયે જો ગુરુગમ કે યથાર્થબોધ પરિણમ્યો ન હોય તો તે રિદ્ધિ આદિના કારણે સાધક ચમત્કારોનું પ્રદર્શન કરી માન-સત્કારમાં ભૂલો પડી જાય છે, તેથી તેની ક્રિયા માર્ગથી વિપરીત થઈ જાય છે.. મોક્ષમાર્ગમાં સ્થિતિ કરાવનારી ક્રિયા ગૃહસ્થ અને મુનિને પોતાની ભૂમિકા પ્રમાણે હોય છે. તેને બદલે ગૃહસ્થ મુનિપણાની કલ્પના કરી આવશ્યકાદિ ક્રિયા ન કરે, જિનભક્તિ જેવાં અનુષ્ઠાનો ન કરે, પાપની આલોચના ન કરે તો તે મતિહીન છે. અને મુનિ પોતાના ગુણસ્થાનકને છોડીને ગૃહસ્થને કરવાનાં ધર્મકાર્યો કરે, આરંભ કરે, ધનની વ્યવસ્થા સંભાળે તો તે ક્રિયા પણ પોતાના ગુણસ્થાનથી ભ્રષ્ટ કરવાવાળી છે. વળી યોગ માર્ગે જતાં કોઈ રિદ્ધિઓ પ્રગટ થાય તેમાં પોતાનો સમાધિશતક ૨૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy