SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનાના ફળસ્વરૂપે તીર્થકરને ભાષાવર્ગણાનો યોગ થઈ તે મુખ દ્વારા અક્ષરરૂપે બોધ આપે છે. તીર્થની સ્થાપના કરનાર તીર્થંકર પોતે મુક્ત થયા છે. અન્યને મુક્ત કરવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત છે. પોતે તર્યા છે અને તારે છે. બાંય ગ્રહી ભવપાર ઉતારે, આણે શિવપુર આરે રે. ઘાતકર્મ નાશ થવાથી, મોહનીય કર્મના અભાવે તીર્થકરને કોઈ ઇચ્છા કે વિકલ્પ નથી પરંતુ તેમનું (વિભૂતિ) ઐશ્વર્ય જ એવું છે કે તેમના નામસ્મરણથી, દર્શન કે પૂજનથી જીવો શુદ્ધભાવે પરિણમી તરે છે. તીર્થકર જીવો માટે કલ્યાણ સ્વરૂપ છે, કાદવરૂપી સંસારમાં ખૂંપેલા જીવોનો ઉદ્ધાર કરનાર છે. ચાર ઘાતકર્મનો નાશ થવાથી અનંત ચતુષ્ટયના જે સ્વામી છે, રાગદ્વેષ અત્યંતપણે જીતીને તે જિનેશ્વર થયા છે. અને જેના પૂર્ણજ્ઞાન વડે જગત પ્રકાશિત છે તેવા સર્વોત્કૃષ્ટ તીર્થકરને નમસ્કાર હો. તે તીર્થકર મુખ્યત્વે બાર ગુણોથી પ્રસિદ્ધ છે. જે વડે જગતના જીવો તીર્થકરનો પરિચય પામે છે. श्रुतेन लिंङ्गेन यथात्मशक्ति समाहितान्तः करणेन सम्यक् । समीक्ष्य कैवल्यसुखस्पृहाणां विविक्तमात्मानमथाभिधास्ये ॥३॥ આગમથી ને લિંગથી, ને આત્મશક્તિ અનુરૂપ, હૃદયતણા એકાઢેથી, સમ્યફ વેદી સ્વરૂપ, મુક્તિસુખ-અભિલાષીને કહીશ આતમરૂપ, પરથી, કર્મકલંકથી, જેહ વિવિક્ત સ્વરૂપ. ૩ અર્થ : અરિહંત અને સિદ્ધ ભગવંતોને વિનય-ભક્તિ વડે વંદન કરી ગ્રંથકાર કૈવલ્યસુખના અભિલાષી, અતીન્દ્રિય સુખની ભાવનાવાળાને શુદ્ધ આત્મસ્વરૂપ વિશે કહે છે કે મારી શક્તિ અનુસાર શ્રુતજ્ઞાનના સમાધિશતક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy