SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૦૫. ધર્મધ્યાનના પ્રકારની વિસ્તૃત સમજ સમ્યવાન, સમ્યગ્દશી, શ્રુતજ્ઞાનના ઉપગવાળ, મજબૂત દેહધારી, ધીરજવાન, છ જીવની અહિંસા પાળનાર, સત્યવચની, બ્રહ્મચારી, નિઃસંગ પરિગ્રહ રહિત, મમત્વ રહિત, શુદ્ધ મનવાળે. ધ્યાન કરવા માટે અધિકારી છે. આવા ગુના અંશે હોય તે ધ્યાન વડે તે ગુણે સંપૂર્ણતા પામે અને જીવનું સ્વરૂપ પ્રગટ થાય. ધ્યાન–આરાધન કરનારને અષ્ટાંગયોગ સહકારી છે. તેના કમથી આત્મા સ્થિર અને ત્વરિત ગતિએ વિકાસ કરી શકે છે. મનઃશુદ્ધિ વગર ધર્મધ્યાન સાધ્ય નથી, મનઃશુદ્ધિ માટે અષ્ટાંગયેગ ઉત્તમ છે. અષ્ટાંગયેગને અભ્યાસ સદ્ગુરુ સમીપે કરવાથી આત્મા નિર્મળ થાય છે. - ધર્મધ્યાન અને શુક્લધ્યાન તે રાગ છે. રાજમાર્ગ કાંટાકાંકરા વગરને હેાય છે, ખાડાટેકરા રહિત હોય છે, તેમ. ધર્મધ્યાન તથા શુક્લધ્યાન શરીરે કષ્ટ કે દુઃખ વિના સાધી શકાય છે. કેવળ મનની નિર્મળતા કરવાથી આ માર્ગ સરળ બને છે. આ ઉત્તમ ધ્યાનમાં હૃદયને પરમ આદ્ર બનાવી આત્મિક પ્રેમથી જોડવું. સર્વ અને આત્મસ્વરૂપે અનુભવવા. વિશુદ્ધ મન દ્વારા જ નિર્વાણ સાધી શકાય છે. ધર્મધ્યાન વડે મનને કેળવવું પડે છે. સદ્દવિચારે અને સંકલ્પ દ્વારા મનને કેળવવાનું છે. - આ કાળે પૂર્વધર કે કેવળીના વિરહમાં શુક્લધ્યાન અગમ્ય. છે તેમ કહ્યું છે. તે ભલે અગમ્ય હોય પરંતુ ઉમેદવારી (ભાવના) કરવામાં નિરાશ ન થવું. શુક્લધ્યાનની ઉમેદવારી કરતાં ધર્મધ્યાનની. પ્રાપ્તિ જરૂર થશે. તે પણ આનંદદાયક જ છે. માટે યથાશક્તિ પ્રયત્નવાન થવું. આલંબન વડે ધ્યાનને અભ્યાસ કરનાર તન્મયપણાને પામીને પિતાના આત્માને સર્વપણાને પામેલે પ્રગટપણે અનુભવે છે. જે સર્વજ્ઞ ભગવાન છે તે હું નિશ્ચયથી છું. આવી તન્મયતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001995
Book TitleDhyana Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year1989
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Yoga
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy