SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસ હાર શ્રદ્ધાનું અને પૂર્વના આરાધનનું સંસ્કારમળ હાય તા સાધક ધીરજથી અને સાવધાનીથી એ વિકળતાવાળી પરિસ્થિતિને પાર કરી જાય છે અને ધ્યાનદશાની ધન્ય પળેાના અધિકારી થાય છે. જેમ બહુમૂલ્ય રત્નમણિ આકારમાં નાનું હોવા છતાં ચક્ષુને આકવા સમર્થ હોય છે તેમ ધ્યાનાનુભૂતિની અલ્પ પળા તથા સૂક્ષ્મ અનુભવ પણ જીવનના સમગ્ર ક્રિયાકલાપને ધ્યાનના સત્ત્વ પ્રત્યે આકર્ષી લે છે. અહા ! તેનું સામર્થ્ય, અહે તેના આહ્લાદ કેવા અદ્ભુત અને અપૂર્વ હાય છે! એથી પ્રદેશે-પ્રદેશે એને રામેરામે રામાંચ જાગી ઊઠે છે. એ ધન્ય પળાનું સુખ અને આનંદ વર્ણ નાતીત હાય છે તેવું જ્ઞાનીનું કથન છે તેમાં શું આશ્ચર્ય છે! તેના સત્યને સ્વીકારી શ્રદ્ધાપૂર્વક આગળ વધવું તે જ સાધકનું યથા લક્ષ્ય છે. ૧૮૩ આ કાળે આ મામાં યથા માદન મળવું કે સાચા માદક મળવા એ મહાન પુણ્યના ઉદયથી બને છે. એવા યોગ મળે ત્યારે સમગ્રપણે પ્રેમાણુ થઈ જીવનને હોડમાં મૂકવાનુ સામર્થ્ય પ્રગટવું તે એક કૃતકૃત્યતા છે. આટલું થયા પછી મા સરળ સુગ્રાહ્ય અને સુગમ અને છે. બાહ્ય જગત પ્રત્યેની રુચિમાં એટ આવે છે ત્યારે અંતરજગતના બીજે છેડે ભરતી ચઢે છે. જેમ પૃથ્વી પર એક જગાએ ખાડો પાડો કે બાજુમાં ટેકરા થઈ જાય છે. તે પ્રમાણે અનંતવાસનાઓનું, દોષાનું કે અશુદ્ધિઓનુ` આત્મલક્ષે સંશોધન થાય છે ત્યારે દોષા દૂર થઈ જાય છે અને ભેદજ્ઞાન થાય છે, તેને પિરણામે ગુણરાશિ પ્રગટે છે. આવેા ક્રમ અનુભવગમ્ય છે. પણ કર્મની વિચિત્રતા એવી છે કે જીવા આ માનું સેવન કરવાનું સાહસ કરતા નથી. ભેદજ્ઞાનનું માહાત્મ્ય જ એવું છે કે તે જીવનના સમગ્ર વ્યવહારોને સમ્યક્ કરી દે છે. મરજીવા થઈને જે આ માગે સાહસ કરે છે તેઓ માર્ગને પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001995
Book TitleDhyana Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year1989
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Yoga
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy