SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ ધ્યાનપ્રવેશની ભૂમિકા અવકાશ રાખો. તે દિવસેમાં જરૂરી દિનચર્યા સિવાય ભક્તિ, સ્વાધ્યાય અને મૌન રાખવાં. ઉપર જણાવેલ કમ એકસાથે કરવાનું નથી. પરંતુ દીર્ઘશ્વાસ પહેલાંની હકીકતનું યંગ્ય આયોજન કર્યા પછી દરેક કામમાં પંદરથી વીસ દિવસને અભ્યાસ કરવો. જેમ કે દીર્ઘશ્વાસ સાથે મનની એકાગ્રતા કરી મંત્રજપ કે પદો દ્વારા ભક્તિ કરવી, પંદર મિનિટ શાંત એકાગ્ર થવા પ્રયત્ન કરે. દરેક ક્રમ પછી પંદર મિનિટ મૌનભાવે શાંતિથી બેસવું. બાળક પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં આવે ત્યારે પહેલા ધોરણનાં પુસ્તકે મૂકીને બીજા ધોરણનાં પુસ્તકને અભ્યાસ કરે છે અને આગળનાં ધોરણમાં પાછળનાં ધોરણોનાં પુસ્તકને ત્યાગ કરે છે. પરંતુ મૂળ વસ્તુનું વિસ્મરણ કરતો નથી; જેમ કે ૧ થી ૧૦ના આંક, ક થી માંડીને પૂરી બારાખડીનું મરણ રાખે છે. કારણ કે તે અંક અને શબ્દો તે તે પંડિત થાય ત્યારે પણ તે જ રહેવાના છે. તેમ આ ક્રમમાં આગળ જતાં સ્થૂલ અવલંબનેને ત્યજી એકાગ્રતાના અભ્યાસને શ્રદ્ધાપૂર્વક દઢપણે ગ્રહી રાખો. દેખીતી રીતે કમ લાંબા લાગશે. પરંતુ અનંતકાળની ભ્રમણું અને અસમાંથી નીકળવા માટે કેમ લાંબે નથી. સાચી શ્ધા પછી ભેજનથી તૃપ્તિ થાય છે, તેમ અનંતકાળને સંસારને થાક આત્માના અનુભવથી ઊતરે છે, જીવન નિજ થતું જાય છે, નિર્દોષ થાય છે. આનંદ મંગળની સહજ ઉપલબ્ધિ થતી રહે છે. માટે ભૂમિકા પ્રમાણે આ ઉપક્રમનું સેવન કરવું તે આત્મહિત અર્થે છે. ૦ ભૂમિકા યોગ્ય પ્રકારે ગૃહસ્થ સાધકે નીચેના પ્રકારને અને કમને સમજી વિચારી. પિતાની શક્તિ અને મર્યાદા પ્રમાણે ગઠવી લેવા. પ્રથમ પ્રકાર : વ્યવસાયી-પ્રારંભિક સાધક માટે છે. દ્વિતીય પ્રકાર : કંઈક નિવૃત્ત અને જિજ્ઞાસાવાળા સાધક માટે છે. ત્રીજો પ્રકાર : આત્મસાધનાની જ અગ્રિમતાવાળા સાધક માટે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001995
Book TitleDhyana Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year1989
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Yoga
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy