SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ૩. ધ્યાનમમાં ચિત્તસ્થિરતા આયોજન નિત્યપ્રતિ કરવું જોઈએ. જેમ દેહને સ્વસ્થ અને પુષ્ટ રાખવા નિત્ય આસન, શયન, ભેજન ઇત્યાદિની આવશ્યકતા છે તેમ જ અભ્યાસ માટે નિવૃત્તિમાં સ્વશિક્ષણની અગ્રિમતા હેવી જરૂરી છે. જે આ પ્રમાણે અભ્યાસની સળંગસૂત્રતા ન જળવાય તે ધ્યાનની ઉપાસના-સ્થળોમાં જવાનું પ્રયજન નિષ્ફળ થાય છે, અથવા ધાર્મિક ક્રિયાયુકત સ્થાનની જેમ એક પ્રણાલિકા જેવું જ તેનું પરિણામ આવે છે. આમ બનવાથી માનવ, ધર્મ કરવાનું માને છે છતાં જીવન ધર્મમય પરિણામ પામતું નથી તે વિચારવા જેવું છે. ધર્મના ઉત્સવે તે ધર્મ નથી. સાધન બદલવાથી ધર્મ ફળવાન થતું નથી. વિભાવ વિરમે વૃત્તિ સ્વભાવરૂપે પરિણમે ત્યારે ધર્મની પ્રાપ્તિ થાય છે. માણસનું હરવું-ફરવું, ખાવું-પીવું, જાગવું-ઊઠવું, કે નિર્વાહાદિનાં સર્વ કાર્યો યંત્રવત્ કે યંત્રથી જાતાં જાય છે. તેમાંય સાધનસંપન્નતા વધી તે માનવ વધુ યંત્રાધીન થતું જાય છે. તે ટેવે એવી ગાઢ થતી જાય છે કે તે જ્યારે ધર્મક્રિયાના ઉત્સ કરે છે ત્યારે પણ બાહ્યાડંબરમાં રાચી જાય છે, અને સર્વ કિયા યંત્રવત્ થતી રહે છે. તેમાં ધર્મને અનુભવ શું? તે કહેશે : અરે બહુ મજા આવી, ભજન સમારંભ સારે ગયે. ઘણા લેકે આવ્યા. સૌએ વખાણ કર્યા, રાત્રિજગો સુંદર થયે, ....સાહેબજીનાં પગલાં થયાં. અમુક લાખનું ખર્ચ થયું વગેરે... તેમાં પ્રારબ્ધગે વળી સંપત્તિયાગ વધુ થયે તે, માન્યતા થવાની કે આવું બધું કર્યું અને સુખી થયા. ધર્મ અને ધનને આવી રીતે જોડીને માનવ સાચા ધર્મથી દૂર થતું જાય છે. ૦ મનના સામર્થ્યને સમ્યફ ઉપગ એક સર્જન જ્યારે દદી પર શસ્ત્રક્રિયા કરે છે ત્યારે પણ જગતના તમામ માનસિક સ્થૂલ વ્યાપારને ત્યજીને એકાગ્ર થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001995
Book TitleDhyana Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year1989
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Yoga
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy