SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનમાગ માં ચિત્તસ્થિરતા ૧૧૯ મન, વચન અને કાયાના ધાગાના નિાધ થવા, શાંત થયું, કે ચિત્તની સ્થિરતા થવી તે ધ્યાનમાર્ગની પ્રારંભિક ભૂમિકા છે. દીર્ઘકાળના સંસ્કારયેાગે મન ચંચળ છે, તેથી કોઈ ને કોઈ રંગ. રસ, રૂપ, સ્પર્શી કે ગંધાદિના પદાર્થોં પર ભ્રમરની જેમ ભમતું રહે છે, ધર્મક્રિયાઓના સમયે પણ એ આવી લીલા કરી લે છે. હાથમાં માળા હોય, આંગળી કરે, મણકો ક્રૂ અને મન પણ ફરતું રહે. એટલે મંત્રસિદ્ધિ થઈ ચિત્તની ચંચળતાનું શમન થવું જોઇએ તે થતું નથી. આત્મશ્રદ્ધામાં સાધકનું સત્ત્વ પ્રગટ થાય છે, તે સાધક સ્વાધીન છે, દેહાધીન હેાતા નથી. મન, શ્રીમંતના દીકરા જેવું લાડકુ છે. અનિત્ય અને અસ્થિર પદાર્થો તેના પુરાણા મિત્રા છે, તેની સામત છેડવા પવિત્રતાદાયક સ્થિર પદાર્થો પ્રત્યે ચિત્તનું અનુસંધાન કરવાનુ છે, પ્રારંભમાં તે સહેજે માની લે તેમ નથી. “જે જે કહુ, તે કાને ન ધારે આપ મતે રહે કાલા, સુરનર પંડિતજન સમજાવે સમજે ન મારો સાલેા હા ક઼જિન મનડુ· કિમ હી ન બાજે 1 –શ્રી આનંદઘનજીકૃત સ્તવન. સૌપ્રથમ ચિત્તને મિત્ર બનાવી, સમજાવીને કોઇ અવલંબન પર સ્થિર કરવું. દાખલા તરીકે ૐ ધ્વનિ, સ્થિર દીવાની જ્યાત, સૂક્ષ્મબિંદુ, સદ્ગુરુ કે પરમાત્માની મૂર્તિ ઇત્યાદિ સાધનાનું અવલંબન લેવુ. વળી શ્વાસપ્રશ્વાસ સાથે ચિત્તને જોડવું. સ્વદેહનાં હૃદયચક્ર આદિ સઘન કેન્દ્રો પર ચિત્તને એકાગ્ર કરવું. આવા ઉપાયે ચેાજવાથી ચિત્તની સ્થિરતા કેળવાય છે. તે પછી ભક્તિ, સ્વાધ્યાય કે મનન, ચિંતન જેવી ક્રિયાઓમાં ચિત્ત સહેજે સ્થિર થાય છે. અભ્યાસ વધે તેમ તન્મયતા વધે છે. શરીરમાં વ્યાધિ હાય અને દવાની એક નાની સરખી ટીકડીના સેવનથી, ઉત્તરમાં પહોંચેલી તે ટીકડી. પાચક રસેામાં ભળીને, લાહીના ભ્રમણમાં ભળીને, શિરદર્દી મટાડે છે, તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001995
Book TitleDhyana Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year1989
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Yoga
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy