SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ મનઃશુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ ૧૦૮ તટસ્થતા અને સ્વસ્થતા નિરીક્ષણનાં અંગભૂત મૂલ્ય છે. આવું નિરીક્ષણ અંતરને આનંદ અનુભવે છે. દોષે જણાય ત્યારે તેને બાધક જાણું સહજપણે વિસર્જન કરે છે અર્થાત્ દૂર થઈ જાય છે અને ગુણોની વૃદ્ધિ થતી રહે છે, તેની સ્વસ્થતા અનુભવે છે. એ નિરીક્ષણને અનુભવ પ્રગટ જીવનના વ્યવહારમાં સૌમ્યતા લાવે છે. “સુખ દુ:ખમાં અરિમિત્રમાં સંયોગ કે વિયેગમાં, રખડું વને વા રાજભુવને; રાચતો સુખભેગમાં મમ સર્વકાળે સર્વજીવમાં આત્મવત્ બુદ્ધિ બધી, તું આપજે મુજ મેહ કાપી, આ દશા કરુણાનિધિ.” (ગાથા ૩) –આચર્ય શ્રી અમિતગતિ સામાયિક પાઠ.. સાચા સાધકની આવી અંતરંગ સ્પૃહા છે અને બાહ્ય સંગમાં નિસ્પૃહા છે. વિવેક મન જીવનશુદ્ધિને ભેગે ભૌતિક સુખની પ્રાપ્તિ ચાહે નહિ. ધનાદિની જરૂર અપેક્ષિત છે. ગૃહસ્થ સાધકને જીવનનિર્વાહ ચલાવવાનું છે, તેથી ધનપ્રાપ્તિ કરે પણ ધનને સમ્ય ઉપયોગ કરી જાણે છે, તેથી આસક્તિ રહિત, ઉપાર્જન કરી લે છે. શરીરનિર્વાહ માટે આહારની ઉપગિતા સમજે છે, પ્રાયે સ્વાદ માટે આહાર ન લે, ખાવા માટે જીવવાનું નથી તેમ સમજે છે, સુધા શરીરની પ્રાકૃતદશા છે, સ્વાદ તે દેહાધ્યાસ છે. તેમ નિશ્ચય છે. પદાર્થને જે તે ચેતનાનું લક્ષણ છે, ક્ષુધાને તે જાણે પણ દુઃખી ન થાય. દુઃખી થાય છે તે હું છું, પણ આ દેહભાવ છે. તટસ્થ નિરીક્ષક આમ બધું જુએ છે, જાણે છે, પણ પદાર્થાકાર થઈ જતે નથી. વિચારેને દૂર કરે છે અથવા ખસી જવા દે છે. તેમાં તે હર્ષવિષાદ કરતા નથી. મનની કામના સવે છોડીને આત્મામાં જ જે રહે સંતુષ્ટ આત્માથી મુનિ તે સ્થિરબુદ્ધિને.” –શ્રી ભગવદ્ગીતા, ગુજરાતી અનુવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001995
Book TitleDhyana Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year1989
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Yoga
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy