SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનઃ એક પરિશીલન - સંસારના પ્રવાહમાં તણાતા જીવને આવી વાતનું રહસ્ય સમજાતું નથી. સિનેમા, નાટક જેવા જાય ત્યારે પોતે જેનારે અલગ છે અને ભજવનારો અલગ છે તે મનમાં સમજે છે, તેમ જ્ઞાની આ જગતનાં દક્ષે જુએ ત્યારે ભજવનારા હુંથી અલગ રહે છે. સરળ રીતે સમજાતું અને જિવાતું આ રહસ્ય સાક્ષીભાવે સમજી શકાય છે. દેહમાં અને બહારમાં હું'નું પ્રભુત્વ જમાવીને બેઠેલું અહમ ઓગળે ત્યારે સાક્ષીભાવ શું તે સમજાય છે. ત્યાં સુધી તે શબ્દને કે ભાવને એક અંશ સમજાવે શક્ય નથી. મરજીવા થઈને જે અતલ સાગરમાં ઊંડે ડૂબકી મારે છે તે કીમતી મેતી મેળવે છે. તેથી વિશેષ ઊંડાણવાળે આત્મરૂપી અમૃતસાગર છે. મલિન મન જેવાં - તત્ત્વોને હટાવી મરજીવા બને છે તે અમૃતબિંદુ પામે છે. ૦ ધમની ધરા પર કેણું ટકશે? માનવજીવનના સંઘર્ષોને શમાવવા, મનના વિકાને, આવેગેને અને આક્રમક વૃત્તિઓને શમાવવા કેવળ શાસ્ત્રનાં સૂત્રે કે બાહ્યકિયાએ કેટલી ઉપયેગી નીવડશે? કે પછી મન અને આત્માના સંશોધનની જરૂર છે? આને વિષે કોઈ પ્રકારે વિજ્ઞાનક્ષેત્રની જેમ ધર્મવિજ્ઞાનના દ્રષ્ટાઓએ અને નેતાઓએ બાહ્ય પ્રજનેને સંકેલી, સૌ પ્રથમ સ્વયંસંશોધન કરી, મનના રોગોની પીડાથી મુક્ત થવાનું વિચારવા જેવું છે. ધાર્મિક કહેવાતા સંતે, ધુરંધરે કે નેતાઓ, મહત્ત્વાકાંક્ષા, સંપત્તિ, કામાદિ કષા, આત્મપ્રશંસા કે આત્મવંચના જેવા રાજરેગથી પીડાતા હોવા છતાં તેને રાજગ માનીને કે શાસનની – ધર્મની રખેવાળી માનીને લેકેની ભક્તિને દુરુપયોગ કરશે, તે આ ધર્મની ધરા પર કોણ ટકશે? સંપત્તિને રખેવાળ સંત્રી જ જે ચેરી કરે, ધર્મ વડે જ જે શેષણ થાય તે ધર્મ કયા સમાજમાં કે ધર્મસ્થાનમાં ટકશે? અને તે સાધકેમાં અને સમાજમાં કઈ અને કેવી શ્રદ્ધા પ્રગટાવશે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001995
Book TitleDhyana Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year1989
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Yoga
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy