SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મયોગ ૧૩૫ નિશ્ચયષ્ટિ આત્માની સ્વસત્તાને ગ્રહણ કરે છે. આત્માને નિરપેક્ષ અને અનૈમિત્તિક રીતે સમજવો જોઈએ. જેથી સ્વલક્ષ્ય અને સ્વબળ પ્રાપ્ત થાય. નિશ્ચયથી અસાધારણકારણ અને ઉપાદાનકારણ એ સ્વબળ છે. અપેક્ષાકારણ અને નૈમિત્તિકકારણ પરલક્ષી છે. તે કારણોથી મોક્ષ ન થાય. તેમાં નરકાદિ ગતિથી બચાવે છે. અસાધારણકારણ અને ઉપાદાનકારણ મોક્ષનો હેતુ બને. પુદ્ગલ દ્રવ્ય સાથે આપણી સ્વરૂપ એકતા હોઈ જ ન શકે. પુદ્ગલ દ્રવ્ય જડ છે, વિનાશી છે. આત્મા ચૈતન્ય છે, અવિનાશી છે. જ્ઞાન-આનંદ સ્વરૂપ છે. પરમાત્મા પૂર્ણજ્ઞાની છે. તે જગતના સ્વરૂપને જેવું છે તેવું જાણે છે. અથવા તે જેવું જાણે છે તેવું જગત છે તેથી પરમાત્માને - ઈશ્વરને ઉપચારથી કર્તા કહેવાય છે. “ભગવાને ધાર્યું હશે તે થશે, જેવી ઈશ્વરેચ્છા વગેરે મોહનીય કર્મના વિકલ્પને હણવા માટેનો સંકલ્પ છે. વાસ્તવમાં ભગવાને જોયું તે સાચું તેમ ભગવાને કહ્યું તે કરવું એ અધ્યાત્મ છે. મનોયોગ દ્વારા સ્વરૂપનું સ્મરણ કરી પુરુષાર્થ કરવાનો છે, જેથી નિર્મોહતા આવે. મોહનો નાશ થાય. જ્ઞાનનો પ્રકાશ થાય. જ્ઞાનના પ્રકાશમાં જે વસ્તુ જેવી છે તેવી જણાય. મારા આત્મ પ્રદેશ ઉપર હજી અઘાતી કર્મોનો પ્રભાવ છે ત્યાં સુધી હું અધ્યાત્મભાવને કેવી રીતે પામું આત્માને પરમાત્મ સ્વરૂપે પ્રગટ થવા ઘાતીડુંગરા નડે છે. પ્રતિ સમય જ્ઞાનાવરણીય કર્મોનો ઉદય અને ક્ષયોપશમના ભાવનો આપણે પ્રતિસાદ મેળવીએ છીએ, તેથી આપણું છદ્મસ્થનું જ્ઞાન જ્ઞાનાવરણીય સંબંધવાળું છે. સત્તામાં સ્વતંત્ર હોવા છતાં ઘાતકર્મથી ઘાત પામીને પરાધીન બન્યું છે. કર્મના ઉદયકાળે પ્રકૃતિ, રસ, સ્થિતિના રસને પ્રદેશો ચૂસીને ટકી રહ્યા છે. મતિજ્ઞાનના ઉપયોગમાં ક્રોધાદિ કષાય અને હાસ્યાદિ નવનોકષાય જેમ જેમ ઘટશે તેમ તેમ નિર્મોહતા આવશે. ભલે અંશે અંશે નિર્મોહતા આવે પણ તેનો નાશ જરૂર થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001994
Book TitleSwaroopsadhnana Sopan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy