________________
ઉપાયોને જાણવા તે જ્ઞાન, વ્રત, સમિતિ, ગુપ્ત આદિ નિયમો આદરવા
ચારિત્ર) તે ક્રિયા, આ બંને મોક્ષપ્રાપ્તિનાં સાધનો કારણ છે. એના વડે મોહ મરી જાય છે, સમભાવ પેદા થાય છે. આત્મા ચરમ અને પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી અનંત આત્મિક સુખમાં અનંતકાળને માટે સદૈવ સ્થિત થાય છે.
[૯૫૧] જ્યાં સુધી જ્ઞાનદશા ટકે છે ત્યાં તેટલે અંશે ચારિત્રદશા રહે છે, તેથી જ્ઞાની જીવને હેય-ઉપાદેય વિવેક હોય છે. તે વડે ભેદજ્ઞાન સહિત વૈરાગ્યને સેવે છે. તેઓ રાગ, દ્વેષ, મોહથી ન્યારા રહે છે તેથી સર્વ કર્મોનો ક્ષય થાય છે. કર્મક્ષયનો આ જ ઉપાય છે. તેઓ શુદ્ધ આત્માની ભાવનામાં સ્થિર રહે છે તેથી સાક્ષાત્ પૂર્ણ પરમાત્મા જ છે. આંતરિક અવસ્થાને પ્રામાણિકતાથી જોવી અગર તો ભ્રમ પેદા થતાં સંસારવૃદ્ધિ થવાની શક્યતા છે.
સમ્યગ્દષ્ટિ જીવ પોતાનું સ્વરૂપ વિચારે છે કે હું સદા રાગ દ્વેષ મોહ રહિત છું. હું પૂર્વ સંચિત કર્મના યોગ છતા ઈચ્છારહિત ક્રિયા કરું છું. આ સંસાર અને તેના વિષયોના રસ તો ઝેર જેવા લાગે છે, ઘાતક છે. હું તેને ભોગવતો નથી તેથી નષ્ટ થઈ જશે. મેં આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી સંસારમાં મોહરૂપી મહાન યોદ્ધાને જીતી લીધો છે, મોક્ષ હવે મારી સમીપે આવી ગયો છે. હવે મારો અનંતકાળ આ રીતે વીતે તેમાં પરમ શ્રેય છે.
[૫૩] જીવે હંમેશાં ઉન્નતિ ક્રમ સેવવો. તે પૂર્વકૃત કર્મોનાં ફળને ભોગવતા હર્ષ શોક કરતો નથી. મન વચન કાયાના યોગો જે આશ્રવરૂપ છે તેનો નિગ્રહ કરે છે ગુપ્તિ દ્વારા) રાગદ્વેષને રોકી પરિગ્રહાદિના વિકલ્પોનો ત્યાગ કરે છે. શુદ્ધાત્માના અનુભવનો અભ્યાસ કરે છે. જ્ઞાની આ રીતે માર્ગને ગ્રહણ કરી પૂર્ણતાને પ્રાપ્ત કરી પૂર્ણાનંદને પામે છે.
[૯૫૪] વર્ષાઋતુમાં વરસતું પાણી એક જ હોવા છતાં તે અન્ય પદાર્થો
અમૃતધારા ૨૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org