SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ હાર્દિક રીતે પરમાત્મા પ્રત્યે નમે છે, વંદે છે, પ્રણમે છે. [૧] જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. ૯૧૧] પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્પરુષને વિષેનાં વચનોથી ભક્તિ ઉત્પન્ન થઈ તે તીર્થકરના વચનને નમસ્કાર કરીએ છીએ. | [૧૨] ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય તેવો નથી. એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કર્યો છે કે, પ્રાપ્તિ ન થઈ તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે તે જ કહેવા વિષે જેનો ઉદ્દેશ છે તે તીર્થકરના ઉદ્દેશ – વચનને નમસ્કાર કરીએ છીએ. [૯૧૩] અસાર અને શરૂપ આરંભ પરિગ્રહના કાર્યમાં વસતા જો આ જીવ કંઈ પણ નિર્ભય રહે કે અજાગૃત રહે તો ઘણાં વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે, એવો નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને નિરુપાય પ્રસંગમાં કંપતા ચિત્તે ન જ છૂટકે પ્રવર્તવું ઘટે છે. એ વાતનો મુમુક્ષુજીને કાર્યું કાર્ય પ્રસંગે પ્રસંગે ક્ષણે ક્ષણે, લક્ષ્ય રાખ્યા વિના મુમુક્ષુતા રહેવી દુર્લભ છે, એવી દશા વેદ્યા વિના મુમુક્ષપણું સંભવે નહિ. [૧૪] - એક શૂદ્રાણિને પેટે બે પુત્ર જન્મ્યા. સંયોગાધીને એક પુત્રનું પાલન બ્રાહ્મણના કુળમાં થયું. એકનું શૂદ્રાણિને ત્યાં થયું. બ્રાહ્મણને ત્યાં ઊછર્યો તે કુળના સંસ્કારથી મદિરાપાનાદિ કરતો ન હતો. હું બ્રાહ્મણ છું મને મદિરાપાનાદિ નિષેધ છે. શૂદ્રાણિને ત્યાં રહેલો વ્યસનાદિ શૂદ્ર ક્રિયા અમૃતધારા ૨૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy