SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વસ્વરૂપને પામે છે. પિપ૩] કોઈ એક વ્યાપારીને દૂરદેશથી ખબર આવી કે પેઢીમાં ઘણો લાભ થયો છે. પરંતુ સમજવામાં ફેર થયો કે નુકસાન થયું છે એટલે દુઃખ પેદા થાય છે. પરિસ્થિતિ સુખદ હોવા છતાં તે વ્યાપારી દુઃખનો અનુભવ કરે છે. તેમ જીવ સ્વરૂપે સુખના ગુણવાળો હોવા છતાં પુગલની પેઢી ચલાવવામાં ચિંતા, ભય વિગેરેનાં નિમિત્તોથી દુઃખનો અનુભવ કરે છે. પરંતુ સદ્ગુરુના બોધ દ્વારા પોતાના સુખને જાણે છે. શ્રદ્ધા કરે છે, ત્યારે તે સાચા સુખને પામે છે. [૫૫] અધ્યાત્મમાર્ગમાં જે સ્વભાવ સન્મુખ છે, સ્વરૂપની રુચિવાળો છે તે ધર્મશીલ છે. પરંતુ જેને સ્વભાવ સન્મુખ થવાનો ભાવ નથી રુચિ નથી તેવો પ્રયત્ન પણ કરતો નથી તે વ્યવહારધર્મમાં ઘણાં સત્કાર્યો, તપ, જપ કરતો હોય તો પણ તે ધર્મશીલ નથી. ધર્મશીલ સાધકને વિષયો પ્રત્યે વિરક્તિ છે. કષાયોનો ત્યાગી છે, આહારાદિ સંજ્ઞાનો સંયમી છે. અંતરંગ અને બાહ્ય બંને પ્રકારે જે જાગૃત છે, તે ધર્મશીલ [પપપ નિશ્ચય સમ્યકત્વ છે કે નહિ તે વિશિષ્ટજ્ઞાની વગર કોણ જાણે ? પરંતુ જો વ્યવહારમાં જિનદર્શનાદિથી ભ્રષ્ટ છે તો તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ શકતી નથી. જેમ વૃક્ષના મૂળમાં જળ વિગેરે મળતાં રહે તો વૃક્ષ પલ્લવિત રહે તેમ મોક્ષમાર્ગનો ચાહક જીવ મોક્ષમાર્ગના મૂળમાં વ્યવહારદર્શનનું પાલન કરે તો મોક્ષમાર્ગ પલ્લવિત થઈને તેની પ્રાપ્તિ થશે. સ્વરૂપાનંદની પ્રાપ્તિ થશે. [૫૫૬] સ્વરૂપાનંદ શું છે? એ આત્મિક અનુભવ છે, તેનું વર્ણન શું થઈ શકે? જેમ કોઈ સ્થાન કૂડાકચરાથી મલિન હતું. તેને સ્વચ્છ કરવામાં આવ્યું. હવે કોઈ કહે સ્વચ્છતાનું વર્ણન કરો. તો તમારે કૂડા કચરાનું વર્ણન કરીને, તેને દૂર કર્યાનું વર્ણન કરીને સમજાવવો પડશે. તેમ સ્વરૂપાનંદ-સમ્યગ્દર્શનનું વર્ણન મિથ્યાત્વની વાત કહીને સમજાવવું અમૃતધારા ૧૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy