SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ તેમનો ચોફાળ-ઓઢવાનું છે. વન્ય પશુઓ બાંધવ છે. શુદ્ધાત્માનું લક્ષ્ય તેમનો આનંદ છે. एको गर्भे स्थितों जात एक एको विनक्ष्यसि । तथापि मूढ ! पन्यादीन् किं ममत्वेन पश्यसि ॥ १९३ ॥ ભાવાર્થ તું એકલો ગર્ભમાં રહ્યો, એકલો જ જન્મ પામ્યો, અને એકલો જ મૃત્યુ પામીશ, આ જાણવા છતાં તે મૂઢ પત્ની આદિમાં મમત્વબુદ્ધિથી કેમ જુએ છે ! વિવેચન : સામાન્ય માનવીનો પણ આ અનુભવ છે કે જીવ દેહ ધારણ કરી જન્મ પામે છે ત્યારે એકલો હોય છે, અને મરણકાળે એકલો જ વિદાય લે છે, જન્મ-મરણના આ રહસ્યનો કોઈ ફેરફાર કરી શક્યું નથી. કોઈ રાજાને ત્યાં કે શ્રેષ્ઠીને ત્યાં રાજકુમાર તરીકે જન્મ લે તે એકલો જ હોય અને મોટા ચક્રવર્તી કે સમ્રાટો ચિરવિદાય પામ્યા ત્યારે એકલા જ વિદાય થાય છે. આ નિયમ ત્રણે કાળ માટે અબાધિત છે. ઈન્દ્ર, ચંદ્ર કે જિનેન્દ્ર જેવા મહાપ્રભાવશાળી પણ કંઈ પક્ષપાત પામી શક્યા નથી. ભલે જમ્યા પછી તëણે તેને સગાં-સ્નેહીઓ વીંટળાઈ વળે તે સર્વે પુણ્યના ખેલ છે. જોડકાં જન્મે તોપણ સુખના વેદન માટે તેનું શરીર તો ભિન્ન એક જ મળવાનું છે. હજારો માનવો અકસ્માતે સાથે મરણ પામે તોપણ મૃત્યુ તો વ્યક્તિગત એકલાનું જ રહેવાનું છે, તે સમયે જે વેદનાનો અનુભવ થાય તે તો દરેકને એકલાને જ થવાનો છે. કારણકે જીવ એકલો જ જભ્યો છે તેમ એકલો જ મરવાનો છે. તેમાં પણ જમ્યો ત્યારે દેહ લઈને આવ્યો, પરંતુ મરણ કાળે તો જે દેહને સ્નેહથી પોપ્યો હતો તે પણ મૂકીને જવું પડે છે. પછી તારાં સગાંસ્નેહીને તો ક્યાંથી લઈ જવાનો છે ? અને કોઈ આવવા પણ તૈયાર નહિ થાય. મરણકાળે ભયભીત થઈ કદાચ તું ઇચ્છે કે કોઈનો સાથ મળે તો સારું, તારી આંખો તે સમયે વિહ્વળ થઈને તું તારી પ્રાણપ્રિય પત્ની આદિની સામે જુએ કે કોઈ તો મારી સાથે ચાલો પણ વ્યર્થ, ૧૯૪ Jain Education International મંગલમય યોગ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001992
Book TitleMangalmay Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year
Total Pages222
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy