SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ $ : $ $ $ $ $ $ $ - મુક્તિબીજ પણ સુવર્ણ બનાવવાની તાકાત ધરાવે છે, તેમ દોષોના વિજેતાઓ ઉપરનો | ભકિતરાગ જીવરૂપી તામ્રને શુદ્ધ કાંચન-સમાન-સર્વ દોષરહિત અને ૪ સર્વગુણસહિત- શિવસ્વરૂપ બનાવવાની શક્તિ ધરાવે છે. દોષરહિતતા અને | ગુણસહિતતા સમવ્યાત છે. જેમ અંધકારનો નાશ અને પ્રકાશનો ઉદ્દગમ એકસાથે | ક જ થાય છે, તેમ દોષોનો વિજય અને ગુણોનો પ્રકર્ષ સમકાળે જ ઉદય પામે છે. |_| વિતરાગ એ દોષોના વિજેતા છે, માટે જ ગુણોના પ્રકર્ષવાળા છે. એ રીતે | * વીતરાગ ઉપરની શ્રદ્ધામાં જેમ દોષોના વિજયની ઉપરની શ્રદ્ધા વ્યકત થાય છે, | તેમ ગુણોના પ્રકર્ષની શ્રદ્ધા પણ અભિવ્યક્ત થાય છે. એ ઉભય ઉપરની શ્રદ્ધાથી જાગેલો ભક્તિરાગ જયારે તેના પ્રકર્ષપણાને પામે છે, ત્યારે આત્મા એક ક ક્ષણવારમાં વીતરાગસમ બની જાય છે. નિગ્રંથ : શ્રી જૈનશાસનમાં શ્રય તરીકે પ્રથમ ક્રમે જેમ વીતરાગ છે, તેમ બીજે કમે નિગ્રંથ છે. નિગ્રંથ એટલે વીતરાગ નહિ, છતાં વીતરાગ બનવાને સતતું દાં પ્રયત્નશીલ. ગ્રન્થ એટલે ગાંઠ અથવા પરિગ્રહ પરિગ્રહ શબ્દ મૂછના પર્યાય | તરીકે ઓળખાય છે. આત્મા અને તેના ગુણો સિવાય જગતના કોઈપણ પદાર્થ | ઉપર-મૂર્છાના અત્યંત કારણભૂત સ્વશરીર ઉપર પણ મમત્વ તે રાગભાવ ધારણ 8 કરવો નહીં એ નિર્ગથતાની ટોચ છે. આત્મા અને તેના ગુણો ઉપરનો રાગ એ !. મૂછ કે મમત્વસ્વરૂપ નથી, કિન્તુ સ્વભાવોન્મુખતારૂપ છે, તેથી તે દોષરૂપ નહીં ! પ્ત પણ ગુણરૂપ છે. નિગ્રંથતા ઉપરની શ્રદ્ધા, એ વીતરાગભાવ ઉપરની શ્રદ્ધાનો જ | '| એક ફણગો છે. વીતરાગ દોષરહિત છે, તો નિગ્રંથ દોષસહિત હોવા છતાં દોષરહિત થવાને | પ્રયત્નશીલ છે. દોષના અભાવમાં દોષરહિત બની રહેવું, એ સહજ છે. દોષની | હયાતિમાં દોષને આધીન ન થવું એ સહજ નથી, કિન્તુ પરાક્રમ સાધ્ય છે. દોષોના Fહલ્લાની સામે અડગ રહેવું અને દોષોને મૂળમાંથી ઉખેડી નાખવા માટે સતત | મચ્યા રહેવું, એ જેનું સાધ્ય છે, તે નિર્ચથતા વીતરાગતાની સગી બ્લેન છે - સખી | છે. એવી નિગ્રંથતાને વરેલા મહાપુરુષો પ્રત્યે શ્રા તે વીતરાગતાની ભક્તિનું જ એક પ્રતીક છે. વીતરાગ ઉપરનો ભક્તિભાવ એ જેમ દોષોનો દાહક અને ગુણોનો ઉત્તેજક છે, તેમ નિગ્રંથ ઉપરનો ભક્તિભાવ પણ દોષદાહક અને ગુણોત્તેજક છે. ” _F_F_F $ $ _ $ $ $ $ $ : $ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy