SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ i $ 5 $ F $ $ F_F $ E $ F $ GF $ F. $ | મુકિતબીજ | દુર્ગતિથી ભીરૂ અને સદ્ગતિના કામી આત્માઓને જેટલી જરૂર શુભ | ધ્યાનની છે, તેટલી જ જરૂર ધ્યાનને સુધારનાર સદ્વર્તનની, વર્તનને સુધારનાર સજ્ઞાનની અને જ્ઞાનને પેદા કરનાર શ્રદ્ધાની છે. શ્રી જૈનશાસનની આરાધના એટલે શ્રદ્ધા, સજ્ઞાન, સદ્વર્તન અને સધ્યાન તથા એ ચારને ધારણ કરનારા પુરુષોની આરાધના છે. એ ચારેયમાંથી ચારેયને ધારણ કર્યા વગર કેઈ એકની પણ અવગણના, એ | જૈનશાસનની અવગણના છે. એ ચારેયની અને એ ચારેયને ધારણ કરનારા | સપુરુષોની આરાધના, એ શ્રી જૈનશાસનની સાચી આરાધના છે. એટલું જ્ઞાન, એલું ધ્યાન, એકલી શ્રદ્ધા, કે એકલું ચારિત્ર મુક્તિને આપી શકતું નથી. | મુકિતનો માર્ગ એટલે શ્રદ્ધા અને જ્ઞાન, ક્રિયા અને ધ્યાન, એ ચારેયનો સુમેળ | અને એ ચારેયની સંપૂર્ણ શુદ્ધિ છે. | અહીં શ્રદ્ધા શબ્દ શ્રેય, શ્રદ્ધાવાન અને શ્રદ્ધાદિનાં હેતુ, એ ત્રણેયનો જ સૂચક છે. એ રીતે જ્ઞાન શબ્દ શેય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધન, એ ત્રિપુટીને | જણાવનારો છે. કિયા શબ્દ ક્રિયા, દિયાવાન અને ક્રિયાનાં સાધનોને જણાવનારો F\ છે. એ ચારેયની શુદ્ધિ એટલે અનુક્રમે શ્રધ્યેય, શ્રદ્ધાવાન અને શ્રધ્ધાનાં હેતુઓ; | શેય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધનો; ક્રિયા, ક્રિયાવાન અને ક્રિયાના હેતુઓ તથા ધ્યેય, ધ્યાતા અને ધ્યાનના સાધનોની શુદ્ધિ ને ધર્મ. શ્રી જૈનશાસનમાં શ્રદ્ધેય તરીકે વીતરાગ, તેઓના માર્ગે ચાલનારા નિગ્રંથ અને તેઓએ બતાવેલો અનુપમ શ્રુત અને ચારિત્રધર્મ છે. વીતરાગ : વીતરાગ તે છે, કે જેઓએ રાગાદિ દોષો પર સંપૂર્ણ વિજય મેળવ્યો હોય, 8િ જે રાગાદિ દોષોએ ત્રણેય જગત ઉપર વિજય મેળવ્યો છે, તેના ઉપર પણ જે ઓએ વિજય પ્રાપ્ત કર્યો છે, તેઓ ત્રણેય જગતના વિજેતા ગણાય છે. દોષો કા ઉપરના એ વિજયનું નામ જ વીતરાગતા છે. વીતરાગતા ઉપરની શ્રદ્ધા એટલે દોષોના વિજય ઉપરની શ્રદ્ધા. અર્થાત્ જગતમાં જેમ દોષો છે, તેમ તે દોષો F\ ઉપર વિજય મેળવનારાઓ પણ છે એવી અખંડ ખાત્રી. એ શ્રદ્ધા દોષોના વિજેતાઓ ઉપર ભકિતરાગ ઉત્પન્ન કરે છે. દોષોના | વિજેતાઓ ઉપરનો આ ભકિતરાગ એક પ્રકારનો વેધક રસ છે. વેધક જેમ ત્રાંબાને $ 5 $ 5 $ 5 $ H G $ $ $ F $ [F Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy