SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ | [ E મુકિતબીજ સમ્યગ્દર્શન એક અધ્યયન પ્રસ્તુત ગ્રંથ મુક્તિબીજનું અધ્યયન કરતાં પહેલા આપણે કેટલુંક સંશોધન કરશું તો જણાશે કે મુક્તિ બીજ અર્થાત્ તેના અન્ય પર્યાયવાચી શબ્દો કેટલા | સાર્થક છે. F S $ M $ F G F G $ H $ 5 $ $ બોધિબીજ બોધિલાભ સમકિત સમ્મદર્શન આત્મજ્ઞાન વરબોધિ રત્નત્રય જગતનો વ્યવહાર આપણે જાણીએ છીએ કે જેવું બીજ હોય તેવું ફળ બેસે છે. ૧. અનાજનું બીજ : જે પ્રકારનું હોય તેના પર તેવું જ ફળ આવે. વર્ષાનું | જળ, ખાતર, પ્રકાશ કે ક્ષેત્રાદિ સમાન પ્રકારના હોવા છતાં જો બી લીંબોળીનું છે ; | તો તેના પર કડવી ગળો કે ફલ ઉગશે, તેના મૂળાદિ સર્વ પ્રદેશે કડવાશ હશે. જો ક| બી કારેલાનું હશે તો તેના પર કડવા કારેલા થશે. જો બી આંબાની ગોટલીનું હશે - તો અનુક્રમે મીઠા ફળ થશે. જો શેરડીની ગાંઠ હશે તો મીઠી શેરડી ઉગશે. - ૨. કર્મબીજ :-સંસારી જીવ અજ્ઞાનવશ રાગદ્વેષના પરિણામમાંથી કર્મના | | બીજ જયાં સુધી વાવે છે ત્યાં સુધી તેના પર વિવિધ પ્રકૃતિના સંસારના ફળનો | | ઉદય થતો રહે છે. અર્થાત્ સંસારફળનું બીજ કર્મ છે. આ બીજ મનુષ્ય | * અનાદિકાળથી વાવતો આવ્યો છે. પરિણામે ચારે ગતિમાં પરિભ્રમણ કરી સંસારના | ફળરૂપે સુખદુ:ખ ભોગવે છે. ૩. મુકિતબીજ :-બોધિબીજ-સમ્યગદર્શન એ બીજની જીવનમાં એકવાર || રોપણી થાય તો પછી કાળ ક્રમે તેના પર શાશ્વત એવા સુખરૂપ મોક્ષનું ફળ પ્રગટ થાય છે. જન્મ મરણનો અંત આવે છે. સાથે સર્વ દુ:ખનો પણ અંત આવે છે. ભૌતિક જગતમાં પ્રથમ અને દ્વિતીય બીજમાંથી ફળ અને ફળમાંથી બીજ | $ F $ S $ $ F $ $ S $ | $ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy