SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિબીજ કહેવાય છે. એમાં આત્મામાં સત્તાગત કર્મોની કાળસ્થિતિનો ઘાત, રસનો ઘાત વગેરે 5 થાય છે. અહીં હજી ક્યાય દસમા ગુણસ્થાનકની અપેક્ષાએ બાદર અર્થાત્ સ્થૂલરૂપે ઉદયમાં હોય છે, તેમજ પ્રત્યેક સમયે જે આત્માઓ આગળ વધે છે એમના દરેક સમય થતા વિશુદ્ધ અધ્યવસાયો પણ એ આત્માઓની પરસ્પરની તુલનામાં એક સરખા નથી હોતા, પણ જુદા જુદા પ્રકારના હોય છે, અર્થાત્ સમાનકાળે આ ગુણઠાણામાં પ્રવેશતા અને વર્તતા જીવોના અધ્યવસાયોમાં ફેરફાર એટલે કે નિવૃત્તિ ૐ હોય છે, તેથી આ ગુણસ્થાનકને નિવૃત્તિબાદર પણ કહેવામાં આવે છે. (૯) અનિવૃત્તિબાદર ગુણસ્થાનક : 卐 卐 આ નવમા ગુણસ્થાનકે ચઢનાર સર્વ આત્માઓનો દરેક સમયે એક્જ – સરખો અધ્યવસાય હોવાથી આને અનિવૃત્તિબાદર ગુણસ્થાનક કહેવામાં આવે છે. બાદર એટલે પૂર્વે કહ્યું તેમ હવે પછીના દસમા ગુણઠાણાના કષાયની અપેક્ષાએ સ્થૂલરુપે કષાયો. 5 ૬ (૧૦) સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક : સંપરાય એટલે ખાય. અહીં અધ્યવસાયની વિશુદ્ધિ એટલી બધી વધી ગએલી હોય છે કે સ્થૂલ કાયનું નામ-નિશાન હોતું નથી. માત્ર સૂક્ષ્મ કાય અને તે પણ સૂક્ષ્મ લોભ ઉદયમાં છે. 5 5 અહીં સુધી આવનારા આત્માઓ બે રીતે આવે છે; કોઈ તો મોહનીય કર્મની ઉપશમના કરતા અને કોઈ ક્ષપણા કરતા. ઉપશમના કરનાર આત્મા મોહનીય કર્મને અંદર અને અંદર શમાવે છે, અર્થાત્ ઉદય રહિત કરે છે એટલું જ, બાકી સિલિકમાં તો પડ્યા હોય છે; ત્યારે ક્ષપણા કરનાર આત્મા એનો ૐ સર્વથા ક્ષય કરી દે છે. આ બે જાતની પ્રક્રિયાના હિસાબે ફળ બે જાતનું આવવાનું; એક આત્મા ઉપશાંતમોહ બનશે, બીજો ક્ષીણમોહ બનશે. (૧૧) ઉપશાંત મોહ ગુણસ્થાનક : 卐 દસમા ગુણસ્થાનકના અંતસુધીમાં જેમણે મોહનીય કર્મોનો સર્વથા ઉપશમના કરી દીધી., તે હવે અહીં ઉપાંતમોહ વીતરાગ બનેલા હોય છે. પરંતુ માત્ર અંતર્મુહૂર્ત એટલે કે બે ઘડીની અંદરના કાળ જેટલું જ આ | ગુણસ્થાનક રહી શકે, ત્યાર પછી અંદર શાંત કરેલ મોહનીય કર્મ પાછું ઉદયમાં આવવાથી આત્મા નીચેના ગુણસ્થાનમાં ગબડે છે. 卐 Jain Education International For Private & Personal Use Only ૪૯ ક *+5 946 *5 94. 5 J SHE SHE SHE 946 946 946 946 મઠ કમ www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy