SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ક | $ $ $ 55 ક 56 F_ 5 = " 5 5 _H $ $ - મુકિતબીજ સમજ્યો ! દયા - દાન - શીલ - તપ - પ્રભુપૂજન સામાયિક વગેરેને તારક માનવાની મૂર્ખાઈ છૂટી ! આજ સુધી એમ માનીને ઘણું ગુમાવ્યું. ધર્મક્રિયાઓ કરી કરીને અનંતા ભવ | | ભટક્યો ! આજે જાણવા મળ્યું કે તરવું હોય તો આત્માના ભાવથી જ તરાય ! શરીરની ક્રિયા જુદી જ ચીજ છે. એની આત્માના ભાવ પર કોઈ અસર નથી, દયાની ક્રિયાથી સામાનો બચાવ નથી થતો; કટારી ભોંકવાથી સામાનું ખૂન નથી ન થતું. સામાનો બચાવ કે મોત તો સામાના તેવા નિશ્ચિત પર્યાયમથી થાય છે, ત્યાં બીજાને દયા કરનાર કે ખૂન કરનારા માનવા એ મિથ્યાત્વ છે. આ આત્મદ્રષ્ટિએ દયા અને હિંસાની ક્રિયા બંને સરખી છે. આમાં છે કોઈ મિથ્થામતિની હદ ? મિથાયત્વનું કોઈ માપ ? એની પાછળ પછી યથેચ્છ | | ખાનપાન, દુરાચારો અને પરિગ્રહાદિ મોહમાયાજ વધે કે બીજું કાંઈ થાય ? - મિથ્યાત્વના દોષની ભયાનકતા સમજાય. તેનાથી પ્રાપ્ત દુર્ગતિના દુ:ખોનો | ક, ભય અર્થાત્ આત્મસુખનો અભાવ જો માનવદેહમાં મળેલી વિચારશક્તિમાં સ્થાન લે તો જીવને આ જન્મમાં સમ્યકત્વની પ્રાપ્તિની જિજ્ઞાસા તીવ્ર બને. એ જિજ્ઞાસાબળ જીવના વિચારબળને સમ્યફ બનાવે છે ત્યારે તેમાંથી જીવમાં 8િ વૈરાગ્યની ભાવના પ્રગટ થાય છે. જેમાં વાસ્તવિક સુખનો રસાસ્વાદ મળે છે. તે માટે ગીતાર્થ જનોએ માનવ જીવનવિકાસના ચૌદ સોપાન દર્શાવ્યા છે. તેમાં | | વિકાસપ્રેરક દસ સોપાન છે. પરંતુ પ્રથમથી માંડીને ચૌદ સોપાન જાણવાથી જીવને પોતાની જીવદશા અને ઉચ્ચદશાનો બોધ મળે છે. આ ગુણ સ્થાનકમાં પ્રવેશતાં પહેલાં કર્મનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય છે તે પ્રમાણે જીવની પાત્રતા થતી જાય છે. પરમ તેજે ગ્રંથમાંથી ટૂંકી નોંધ ક્ષય, ક્ષયોપશમ, ઉપશમની પ્રક્રિયા આત્મા સ્વયં મોક્ષસ્વરૂપ હોવા છતાં, વર્તમાન શુભાશુભ અધ્યવસાયોને _| કારણે સંસારમાં પરિભ્રમણ કરે છે. અશુભભાવોથી ભરપૂર સંસારીજીવોને પ્રથમ તપ - સંવર દ્વારા શુભ અવ્યવસાયો બતાવ્યા છે. શુભ અધ્યવસાયો કર્મબંધનમાં કારણભૂત મલિન અધ્યવસાય કરતાં ક્ષયોપશમ કે ઉપશમ કરવાવાળા બને છે. અંતે સકળ કર્મના ક્ષયથી મોક્ષ થાય છે. $ : $ $ $ _F_F_F_F $ $ $ $ 5 ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy