SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ F E F $ E $ F $ E $ $ || $ F $ – મુક્તિબીજ સમગ્ગદર્શનની ઉત્પત્તિના પ્રકારો, નિસર્ગ કે અધિગમ આ બે હેતુથી સમ્યગ્રદર્શન ગુણ પ્રગટ થાય છે. નિસર્ગ = બાહ્ય નિમિત્ત વિના સ્વાભાવિક અધિગમ = ગુરુ-ઉપદેશ આદિ બાહ્ય નિમિત્તથી સમ્યગદર્શનની ઉત્પત્તિ અંતરંગ અને બાહ્ય એમ બે નિમિત્તથી થાય છે. વિશિષ્ટ શુભ આત્મપરિણામ અંતરંગ નિમિત્ત છે, ગુરૂઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત છે. આ બે નિમિત્તોમાં કેટલાક જીવોને બાહ્યનિમિત્ત વિના કેવળ | અંતરંગ નિમિત્તથી સમગ્ગદર્શન પ્રગટે છે. કેટલાક જીવોને બાહ્ય નિમિત્ત દ્વારા | અંતરંગ નિમિત્તથી સમગદર્શન પ્રગટે છે. આમ સમગ્રદર્શન બાહ્ય નિમિત્ત વિના પ્રગટે, પણ અંતરંગ નિમિત્ત વિના તો કોઈને પણ ન પ્રગટે. કેવળ ખા અંતરંગ નિમિત્તથી પ્રગટ થતું સમ્યગદર્શન તે નિસર્ગ સમ્યગદર્શન, બાહ્ય | નિમિત્ત દ્વારા અંતરંગ નિમિત્તથી પ્રગટ થતું સમગ્રદર્શન તે અધિગમ સમગ્રદર્શન, આમ થવામાં તે તે જીવનું તથાભવ્યત્વ કારણ છે. ભવ્ય અને અભિવ્ય એમ બે પ્રકારના જીવો છે. ભવ્ય એટલે મોક્ષ પામવાને યોગ્ય મોક્ષની સામગ્રી મળતાં જે જીવો મોક્ષ પામી શકે તે ભવ્ય મોલના બીજરૂપ | સમ્યકત્વ પામે છે. અભવ્ય એટલે મોક્ષ પામવાને અયોગ્ય, મોક્ષ પામવાની | સામગ્રી મળવા છતાં અભવ્ય જીવો કદી મોક્ષ ન પામે. હવે આપણે ભવ્ય જીવો અંગે વિચારણા કરીએ. દરેક ભવ્ય જીવમાં | | ભવ્યત્વ-મોક્ષ પામવાની યોગ્યતા હોવા છતાં સમાન =એક જ સરખી નથી | હોતી. દરેક જીવમાં યોગ્યતા ભિન્ન ભિન્ન હોય છે. દરેક જીવની મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા એટલે જ તથાભવ્યત્વ. દરેક જીવની મોક્ષ | પામવાની વ્યક્તિગત યોગ્યતા જુદી જુદી હોવાથી દરેકનું તથાભવ્યત્વ પણ જુદું જુદું હોય છે. દરેક જીવમાં તથાભગત ભિન્ન ભિન્ન હોવાથી સમ્યગદર્શન આદિ ગુણો ૪િ પણ ભિન્ન ભિન્ન હેતુઓથી પ્રાપ્ત થાય છે. આથી કોઈ જીવને નિસર્ગથી અને * કોઈ જીવને અધિગમથી સમ્યગદર્શન ગુણની પ્રાપ્તિ થાય છે. જે જીવનું જેવા ખા પ્રકારનું તથાભવ્યત્વ હોય તે જીવને તે રીતે મોક્ષના સાધનભૂત સમગ્રદર્શન '| આદિ ગુણોની અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. F $ E $ F $ F $ E F બ5 5 % Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy