SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ $ $ $ F $ E $ F $ VF $ H G $ – મુક્તિબીજ મિથ્યાત્વના પ્રકારોને જાણે-અજાણે પણ સેવવાથી સંસાર પરિભ્રમણ વધે [F છે. અને તે આવા પ્રકારે જીવને સતાવ્યા કરે છે. - યોગાનુયોગ જીવ સમગ્રદર્શનને પાત્ર થાય છે ત્યારે તેનામાં આ પાંચ ના લક્ષણો પ્રગટ થાય છે. જે તેને સમગ્રર્શનનું રક્ષણ અને વૃદ્ધિ કરે છે. | શાસ્ત્રમાં સમગ્રદશાનાં પાંચ લક્ષણો છે જે આ પ્રમાણે છે : શમ, સંવેગ નિર્વેદ, આસ્થા અને અનુકંપા. આ પાંચ પ્રકારે આત્મદશાને જાણવાનાં માપયેત્રો જેવાં છે. તેના ભાવાર્થને સમજવાથી તેનો સ્પષ્ટ ખ્યાલ આવશે. મિથ્યાત્વરૂપી મિથ્યામતિથી | | | દિશામૂઢતાથી પાછા વળેલા જીવમાં આ ગુણો પ્રગટ થાય છે અને તેથી | જીપ સાચી દિશા પ્રત્યે વળે છે. | શમ : ક્રોધ, માન, માયા, લોભરૂપી કષાયોનું મંદ થવું અર્થાત્ બંધનાં કારણોનું શમન થવું તે શમ છે. જેમ જેમ કષાયો શાંત થતા જાય તેમ તેમ તેનું સ્થાન ક્ષમા, નમ્રતા, સરળતા | અને સંતોષ લે છે. રાગદ્વેષનું સ્થાન નિર્મળ પ્રેમ અને મધ્યસ્થતા લે છે. કષાયનું શમન થવાથી સાધક કોઈને દુભવતો નથી અને પોતે કોઈથી દુભાતો નથી. સમાદિ સ્વગુણો વડે હંમેશાં પ્રસન્ન રહે છે. સંવેગ : જગતના આકર્ષક પદાર્થોને તથા દેવાદિ ગતિનાં સુખોને તુચ્છ |. *| માની કેવળ એક મુક્તિની અભિલાષા સેવવી તે સંવેગ છે. આ ગુણ જેને પ્રાપ્ત થયેલા છે તે આત્માને સંસારનાં સુખદુ:ખના કે સંયોગ-વિયોગના પ્રસંગે પ્રીતિ-અપ્રીતિ ઉદ્ભવતી નથી. તેવા પ્રસંગોથી વિરકત F] થઈ તે એક આત્માર્થને જ સાધે છે. - નિર્વેદ : સંસારના પરિભ્રમણનાં કારણોનો બોધ પામી, આત્મા ને પ્રત્યે "] થાકનો અનુભવ કરે છે. પોતાના દેહ કે પરિવાર પ્રત્યે પણ તેને ઉદાસીનતા | આવે છે, અંતરંગ રુચિ રહેતી નથી. જે કંઈ વ્યવહાર કરવો પડે છે તે નછૂટકે _| થવા દે છે. વળી, તે ઈદ્રિય વિષયોથી લોભાતો નથી, પરંતુ આત્મસ્વરૂપમાં લીન | રહેવાનો દ્રઢ પ્રયત્ન કરે છે. તે આત્મા વિચારે છે કે, આ જીવે સંસારમાં ઘણું કે ઘણું પરિભ્રમણ કર્યું છે, તે હવે સમાપ્ત થાઓ અને સંસાર છૂટી જાઓ-આ ભાવના તે નિર્વેદ છે. F $ E $ $ F $ $ $ F E 5 F 5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy