SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ F | 546] F 54 E 546 H She G S4 S4 E S4 F S46 E S4 – મુકિતબીજ પ્રાણીમાત્રનું હિત ઇચ્છવું તે મૈત્રી છે. સર્વ ઉપર સમાનભાવ તે સમતા છે, દુઃખી ઉપર દયાભાવ તે કરુણા છે. જો સમ્યગ્દર્શન સહિત આ સર્વ સદ્ગુણોનું સેવન થાય તો મોક્ષસુખનો || લાભ મળે છે. - આચાર્ય ભગવંતો કહે છે કે હે ભવ્ય જીવો ! તમે સમગ્દર્શનરૂપ અમૃતને પીઓ. એ અનુપમ અતિન્દ્રિય સહજ સુખનો ક ભંડાર છે. સર્વ લ્યાણનું બીજ છે. સંસાર સમુદ્રને પાર કરવાનું જહાજ છે. તે પાપરૂપી વૃક્ષને કાપવાને કુહાડી સમાન છે, પવિત્ર તીર્થોમાં એજ પ્રધાન છે, તે મિથ્યાત્વનો જયવંત શત્રુ છે. ભવ્ય જીવો જ તેને પામી શકે છે. આ જગતમાં જે જ્ઞાન અને ચારિત્રથી પ્રસિદ્ધ થયેલા મહાત્માઓ છે તે ષ પણ સમ્યગ્દર્શન વિના મોક્ષ પામી શકતા નથી. . જે સમ્યક પ્રકારે જીવાદિ પદાર્થોને જાણે છે, બહિરંગ અને અંતરંગ પરિગ્રહનો ત્યાગ કરે છે, અને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થતો નથી, દા ને જીવને શુદ્ધ મોક્ષમાર્ગ કહ્યો છે. જે પરમ વીતરાગભાવને પ્રાપ્ત મોક્ષના સાધક પરમ યોગી છે, તેને સમ્યગ્દર્શન, સમજ્ઞાન ને સમજ્યારિત્ર એ ત્રણની એકતારુપ સાક્ષાત્ મોક્ષમાર્ગરુપ શ્રમણપદ કહ્યું છે. તે શુદ્ધ ઉપયોગીને અનંતદર્શન અને અનંતજ્ઞાન પ્રગટ થાય છે. તેને નિર્વાણ પ્રાપ્ત થાય છે. '[ સિદ્ધ છે, તેમને વારંવાર નમસ્કાર હો. ચારિત્ર એ આત્માનો સ્વધર્મ છે. | ન ધર્મ છે તે આત્માનો સ્વભાવ - સમભાવ છે, તે જીવના રાગદ્વેષ રહિત અનન્ય || પોતાના જ ભાવપરિણામ છે. નોંધ : દેવ ભક્તિ : જિનેન્દ્ર અરિહંત કે સિદ્ધ ભગવંતની સ્તુતિ કરવાથી તેમની વિવિધ પ્રકારની પૂજા કરવાથી કે ધ્યાન કરવાથી ભાવની શુદ્ધિ | થાય છે, અને સંસારથી મુક્ત થવાનો નિર્ણય થાય છે. _F 54 Ste Gule S4 F S4 S4 F 546 Gl 54 1 94 ૨૨૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy