SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ [ F * F F. 5 $ $ $ F. $ $ _ _ મુકિતબીજ, - અહીં વિષય (તત્ત્વ) અને વિષયમાં (તત્ત્વને જાણનાર) અભેદ માનીને | જીવ વગેરે પદાર્થોને સમ્યગ્દર્શન કર્યું છે. એટલે આ નવ પદાર્થોની | | પરમાર્થરૂપથી શ્રદ્ધા કરવી તે સમગ્રદર્શન છે. એ જ દ્રવ્યાનુયોગમાં સ્વપરની શ્રદ્ધા કરવી તે સમદર્શન કર્યું છે. કેમકે આશ્રવ વગેરે તત્વ સ્વ-જીવ અને પર-કર્મરૂપ અજીવના સંયોગથી થવાવાળું પર્યાયાત્મક તત્ત્વ છે. એથી સ્વપરમાં જ ગર્ભિત થઈ જાય છે અથવા એ જ દ્રવ્યાનુયોગના અંતર્ગત અધ્યાત્મ ગ્રન્થોમાં પરદ્રવ્યોથી જૂદા આત્મદ્રવ્યની પ્રતીતિ સમ્યગ્દર્શન કહેવાય છે. કારણ _| કે પ્રયોજનભૂત તત્વ તો સ્વએ કરેલું આત્મ દ્રવ્ય જ છે. સ્વનો નિશ્ચય થતાં જ પર આપોઆપ છૂટી જાય છે. મૂળમાં તત્ત્વ એ છે- જીવ-અજીવ. Eા ચેતનાના લક્ષણવાળા જીવ છે. અને એનાથી જુદા અજીવ છે. અજીવ પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળના ભેદથી પાંચ પ્રકારના છે . પરંતુ અહીં એ બધા સાથે પ્રયોજન નથી. અહીં તો જીવની સાથે પ્રાપ્ત થયેલાનો કર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મરૂપ અજીવ સાથે પ્રયોજન છે. ચૈતન્યસ્વભાવવાળા જીવની સાથે અનાદિ કાળથી આ નોકર્મ – શરી-દિ, દ્રવ્યકર્મ - જ્ઞાનાવરણાદિ અને ભાવકર્મ રાગાદિ વગેરેનો જીવ સાથે સંયોગ રહે છે. જ્યારે એનો વિચાર આવે છે ત્યારે આશ્રવ તત્ત્વ ઉત્પન્ન થાય છે. આશ્રવ પછી જીવ અને અજીવની કેવી દશા થાય છે એ બતાવવાને માટે બંધ તત્ત્વ આવે છે. આશ્રવના વિરોધી ભાવ સંવર છે, બંધના વિરોધી ભાવ નિર્જરા છે તથા જ્યારે બધા નોકર્મ, દ્રવ્ય કર્મ અને ભાવકર્મ જીવથી સદાને માટે વિમુક્ત થઈ જાય | છે ત્યારે મોક્ષ તત્ત્વ પ્રગટ થાય છે, અને પાપ આશ્રવમાં અંતર્ગત છે, આ રીતે આત્મકલ્યાણને માટે | ઉપર પ્રમાણે સાત તત્વ અથવા નવ પદાર્થ જાણવા પ્રયોજનભૂત છે. એનો ખા વાસ્તવિક રૂપથી નિર્ણય કરી પ્રતીતિ કરવી તે સમદર્શન છે. એવું ના થાય કે આશ્રવ અને બંઘના કારણોને સંવર અને નિર્જરાનાં કારણ સમજી લેવાય !” F, અથવા જીવની રાગાદિક અવસ્થાને જીવતત્ત્વ સમજી લેવાય, કેમકે એવું | સમજવાથી વસ્તુ તત્ત્વનો સાચો નિર્ણય નથી થઈ શકતો, અને સાચા નિર્ણયના અભાવમાં એ આત્મા મોક્ષને પ્રાપ્ત નથી થઈ શકતો. જે ભાવોને એ જીવ મોક્ષનું કારણ માનીને કરે છે, એ ભાવ પુણ્યાશ્રવનું કારણ બની એ જીવને દેવાદિગતિઓમાં સાગર પર્યન્ત સુધી રોકી લે છે. $ _ $ _ $ _ $ $ _ $ 45 _ $ _ $ ૨૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy