SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ કી $ $ “ % % $ $ $ - મુકિતબીજા આપણે જોઈ ગયા કે ૧ લો શુદ્ધ પુંજ ઉદયમાં આવતાં જ જીવ !" Rયોપશમભાવનું સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. તે વખતે મિશ્ર અને અશુદ્ધ પૂંજના કર્મપ્રદેશો સંકમતા સંકમતા શુદ્ધ પુંજમાં એકઠા થતા અને તે એકઠો થયેલો જથ્થો ઉદયમાં આવીને ક્ષય પામતો જાય છે. આમ કરતાં કરતાં અશુદ્ધ અને મિશ્રના બધા જ કર્મપ્રદેશ ૧ લા શુદ્ધ : પંજમાં ફેરવાઈ ગયા એટલે એ બે પુંજ નાશ પામ્યા એટલે ૧ લા પુંજમાં ! કર્મપ્રદેશો પણ ઉદયમાં આવી આવીને ક્ષય પામતા હોવાથી તે ૧ લો મુંજ ઝિ | ખતમ થઈ જવાની અણી ઉપર આવી જાય ત્યારે ૧ લા પુંજનો છેલ્લો જથ્થો . ઉદયમાં વેદાતો હોય તે વખતે સત્તામાં ઉપશાન ભાવે ૩ માંથી એકે ય પુંજનું | એક પણ દલિક રહ્યું નથી. અર્થાત્ આ વખતે શુદ્ધ પુજના છેલ્લા જથ્થાનો | કેવળ ઉદય દ્વારા વેચવાનું (ક્ષય કરવાનું) જ કામ ચાલે છે. એટલે અહીં એકે ય પુંજનો ઉપશમ નથી. તેમ જ છેલ્લા જથ્થાને વેદવાનું કામ ચાલુ હોવાથી તેનો ક્ષય પણ નથી. માટે આ સ્થિતિનું સમ્યકત્વ તે ક્ષયોપશમ-સમ્યકત્વ તો ન કહેવાય કિન્તુ તેને વેદક સમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વ એક જ સમયનું હોય છે. આ સમ્યકત્વને ઉપશમભાવનું, ત્રયોપશમ ભાવનું, સાસ્વાદન ભાવનું કે આગળ કહેવાતા * ક્ષાયિક ભાવનું કહી શકાય નહિ. જયારે શુદ્ધ પુંજનો છેલ્લો જથ્થો ૧ જ સમયમાં સંપૂર્ણ ભોગવાઈ જાય છે, ત્યારે હવે આત્મા ઉપર ત્રણેય પુંજનું અસ્તિત્વ સર્વથા નષ્ટ થઈ ગયું હોય છે. આ વખતે આત્માનો સ્વાભાવિક સમ્યગદર્શન ગુણ પ્રગટ થઈ જાય છે. અત્યાર ૐ સુધી આ ગુણને મિથ્યાત્વ મોહનીયના કર્મદળિયાઓએ ઢાંકી રાખ્યો હતો. માત્ર * શુદ્ધ એવા ને દળિયાના ઉદય વખતે મિથ્યાત્વનો રસ ન હોવાથી તે કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલું પૌદ્ગલિક સમ્યક્ત પ્રાપ્ત થયું હતું પરંતુ હવે તો આત્માનું સમ્યકત્વ પ્રાપ્ત થયું, જે અનંતકાળ સુધી એ જ સ્વરૂપમાં પ્રગટ રહેવાને સર્જાયેલું છે. આ જ રીતે જે ઉપશમભાવનું સમ્યકત્વ હતું તે પણ કર્મના ઘરનું ન હતું કેમ કે ત્યાં પણ મિથ્યાત્વ મોહનીય કર્મના પુલનો સંપૂર્ણ ઉપશમ થઈ ગયો હતો. આમ, ઉપશમ અને જાયિક ભાવના સમત્વ અપૌલિક કહેવાય છે. જયારે સાયોપથમિક, મિશ્ર, સાસ્વાદન અને વેદક | ભાવના સમૃત્વ પૌગલિક કહેવાય છે. $ 5 H 낚5 5 5 55 5 5555 5 555 5 $ $ $ $ મં$ $ $ $ ૧૭૨ $| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy