SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિબીજ ૭ જે કર્મ જીવના અરૂપી સ્વભાવને રોકવાના સ્વભાવવાળું છે તે નામ કર્મ | કહેવાય છે. 卐卐 卐 卐 આ આઠે ય કર્મોના સ્વભાવ જીવના સ્વાભાવિક ગુણોને રોકવાનું જ કામ કરતા હોય છે. એટલું જ નહિ પરન્તુ જીવમાં નવી નવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. આ તો એમના સ્વભાવની વાત થઈ. હવે એમની સ્થિતિનો વિચાર કરીએ. દરેક કર્મ બંધાતી વખતે પોતાની અમુક સ્થિતિને નક્કી કરે છે. તે વખતે ઓછામાં ઓછી સ્થિતિ કેટલી નક્કી થાય ? અને વધુમાં વધુ સ્થિતિ કેટલી નક્કી થાય ? તે આપણે જોઈએ. 卐 卐 5 5 5 卐 5 ૮ જે કર્મ જીવના અગુરુલઘુ પર્યાયને રોક્વાના સ્વભાવવાળું છે તે ગોત્ર કર્મ કહેવાય છે. 5 જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય અને અંતરાય એ ચાર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડા કોડી સાગરોપમની હોય છે. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કો. કો. સાગરોપમની બંધાય છે. નામ કર્મ અને ગોત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ર૦ કો. કો. સાગરોપમની હોય છે. આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સોગરોપમની બંધાય છે. હવે આઠે ય કર્મની જઘન્ય સ્થિતિ જોઈએ. વેદનીય કર્મની જધન્ય સ્થિતિ ઓછામાં ઓછી ૧૨ મુર્હુતની સ્થિતિ હોય છે. નામ-ગોત્ર કર્મની ૮ મુર્હુતની અને બાકીના પાંચે ય કર્મની ૧ અંતર્મુહૂતની જધન્ય સ્થિતિ હોય છે. અંતર્મુહૂર્તના અસંખ્ય પ્રકાર છે. ૯ સમયથી માંડીને ૪૮ મિનિટમાં ૧ સમય ઓછા સુધીનો બધો કાળ અન્તર્મુહૂર્તમાં ગણાય. આંખના ૧ પલકારામાં અસંખ્ય સમય પસાર થઈ જાય છે તો ૧ મિનિટમાં કેટલા સમય પસાર થતા હશે ? અને ઉપરોક્ત મોટામાં મોટા અન્તર્મુહૂર્તમાં કેટકેટલા અસંખ્ય સમય સમાતા હશે ? આથી જ અન્તર્મુહૂર્તના અસંખ્ય પ્રકાર પડે. ઉપરોક્ત આઠે ય કર્મ જીવ ઉપર ચોંટી પડીને શું ભાવ ભજવે છે તે જોઈએ. જ્ઞાનાવરણીય કર્મ જીવને અજ્ઞાની બનાવે છે. Jain Education International For Private & Personal Use Only ૧૫૮ 5 946 5 946 H 94% H H 94. 5 *b5 946 946 K H 5 www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy