SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ $ F $ $ f $ $ F $ $ | મુકિતબીજ દા. ત., એક માણસે એક જીવની ખૂબ આનંદથી હિંસા કરી. એ વખતે F| જીવને જે રજકણો ચોંટી પડી એને જો વાચા હોય અને આપણે ઉપલી ચાર વાત પૂછીએ તો તે જાણે કહે કે મારી પ્રકૃતિ (Nature) એવી છે કે હું જયારે ઉદયમાં આવીશ ત્યારે આ જીવને અશાતા આપીશ, હું બે હજાર વર્ષ સુધી રહીશ, અશાતા પણ સામાન્ય નહિ આપું પણ ભયંકર કોટિની આપીશ. અને હું એક જ રજકણ નથી પણ એક લાખ રજકણોના જથ્થામાં ચોંટી છું. - આ ચારેય વાતથી તેની પ્રકૃતિ (Nature), સ્થિતિ (Time-limit), રસ (Power), પ્રદેશ (Bulk) રૂપ ચાર બંધ નિશ્ચિત થાય છે. કોઈ પણ પ્રકારનું કાર્મિક-રજકણ જીવને ચોંટે તે ચોયું ત્યારે જ કર્મ કહેવાય, F જયાં સુધી આકાશમાં પડ્યું હોય ત્યાં સુધી કાર્મણવર્ગણાની રજણો કહેવાય. | ગમે તે વિચારથી, ગમે તે ભાષાપ્રયોગથી, ગમે તેવા વર્તનથી વિશ્વના ૩ અબજ * માનવો કે ૧૪ રાજલોકની તમામ જીવસૃષ્ટિ જે કાંઈ રજકણોને પોતાની ઉપર કા ચોંટાડે તે તમામ રજકણ ૮ જાતના સ્વભાવમાંથી ગમે તે એક સ્વભાવરૂપ હોય જ. | ૮ ની ઉપર ૯ મો એવો કોઈ સ્વભાવ નથી, જે રૂપે અનાદિ અનંતકાળના જીવોએ ક બાંધેલી અનંતાનંત રજકણોમાંથી એક પણ રજકણ જીવ ઉપર ચોંટીને રહી હોય. આ ૮ સ્વભાવને લીધે કર્મના ૮ પ્રકાર છે. ૧ જે કર્મ જીવનો અનંત જ્ઞાનપ્રકાશ ઢાંકી દેવાના સ્વભાવવાળું હોય છે | તેને જ્ઞાનવરણીય કર્મ કહેવાય છે. - ર જે કર્મ જીવના અનંતદર્શન સ્વભાવને આવરી દેવાના સ્વભાવવાળું છે તે દર્શનાવરણીય કર્મ કહેવાય છે. ૩ જે કર્મ જીવને સુખ કે દુઃખ આપવાના સ્વભાવવાળું છે તે વેદનીય કર્મ કહેવાય છે. *| ૪ જે કર્મ જીવની રાગ-દ્વેષ રહિત વીતરાગ અવસ્થાને અથવા તત્વદર્શનને | ઢાંકી દેવાના સ્વભાવવાળું છે તે મોહનીય કર્મ કહેવાય છે. | | ૫ જે કર્મ જીવના અનંતવીર્ય, અનંતલાભ, અનંતભોગ વગેરેને આવરી દેવાના સ્વભાવવાળું છે તેને અંતરાય કર્મ કહેવાય છે. ૬ જે કર્મ જીવની અજરામર અવસ્થાને રોકવાના સ્વભાવવાળું છે તે || આયુષ્ય કર્મ કહેવાય છે. F $ F $ $ E $ F $ $ F $ F $ F $ $ ૧૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy