SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ H | 가 G F 가도 가도 가도 G F 가 가 가 _F_F_F 가도 가도 - મુક્તિબીજ તેનાથી શું લાભ? શરીરનો રોગ મટે. તો પછી હવે વિચાર કરો કે આપણા સાધકો અને સંતોએ શરીરમાં રહેલા આત્માનું દુઃખ અનુભવ્યું કે આ જન્મ-મરણ, રોગ-શોક, સુખદુ:ખ, જેવા ભવરોગથી આત્મા દુઃખી થાય છે. જેમ નિરોગ શરીરનો સુખદ અનુભવ છે. તેમ તેમણે જન્મ-મરણ રહિત આત્માના સુખનો વિચાર ઉદ્ભવ્યો. અને દુઃખ * દૂર કરવાનો ભાવ એ જન્મ્યો. આથી તેઓએ જેની પાસે તેનો ઉપચાર હતો તેવા સત્પુરુષો પાસેથી રોગનું નિદાન કરાવ્યું. જ્ઞાનીઓએ અનુભવથી તેમણે માર્ગ બતાવ્યો. તેને યોગ્ય શાસ્ત્રોનું નિરૂપણ કર્યું. હવે જેમ તમે ડૉક્ટરોમાં વિશ્વાસ રાખ્યો, તેમ તે સાધકોએ આ નિસ્પૃહ જ્ઞાની સંતોમાં વિશ્વાસ રાખી, જ્ઞાન, બાન અને ભક્તિરૂપી સાધન મેળવ્યું હે ભવ્યાત્માઓ ! વિચારો કે તમે દીર્ધકાળ શરીરાદિ સુખના પ્રયોગોમાં | કાં ગાળ્યો હવે આ એકાદ ભવ, અરે એકાદ વર્ષ તમે આત્મસુખનો પ્રયોગ તો ઝૂ કરો. જો એકવાર પ્રયોગ કરશો તો પછી તમે તે સુખને છોડી શકશો નહિ. | જ્ઞાનીજનો કહે છે કે રણમેદાનમાં હજારો સુભટોને શૌર્યગીતો વડે શૌર્ય ઉપજાવી શકાય અને તેઓ શૂરવીર થઈને જાન આપી દે પણ સંસારીજીવોને આત્મા પરમાત્માની વાતો કરી મોક્ષના શાશ્વત મેદાનમાં ખેંચી લાવવા કઠણ છે. છતાં ભાગ્યશાળી જીવો આ કાળમાં પણ સાચા સુખના સાધનોને અવશ્ય પ્રાપ્ત કરે છે. એકવાર આ માર્ગમાં ઝુકાવી દો આગળ વિજયમાળા તમારી રાહ જુએ છે. મિથ્યાત્વ ટળી જતાં જીવના દુર્ગતિના કારણો હોવા છતાં સત્ત્વની "| હાજરીમાં તે કારણો દુર્ગતિમાં લઈ જતાં નથી. આત્માની રુચિ જ બદલાઈ જાય છે. ચોથા ગુણસ્થાનકે અવિરતિનો ઉદય ઘણો હોય તો પણ તેના હૈયામાં પાપબુદ્ધિ ન ઊઠે, હિંસાદિ પાપ પ્રવૃત્તિ થાય પણ તેનું હ્યદય હવે પાપ મુક્ત F\ થયું છે. ખા તત્ત્વજ્ઞાન પામેલો આત્મા સંસારમાં રહેવું પડે તો પણ સાવચેત થઈને રહે, તેનામાં વિરતિધર્મ ન હોય પણ વિરાગ તો હોય, જેટલા કષાયનું શમન થયું F 가도 가도 F 가도 F 가도 E 가도 F 가도 E 가도 가도 가도 ૧૫૦ 가도 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy