SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ E F $ F $ G $ H બે E બ5 % મુક્તિબીજ ૧. શંકા : સમકિત ક્ષયોપથમિકભાવે હોવાથી તેમાં કંઈ દોષ થઈ જાય | છે અને જે જે કષાયનો ઉદય તે પ્રકારે દોષ લાગવા સંભવ છે. તેથી એવો | _| સૂક્ષ્મભાવ થતો હોય કે હું ધર્મ કર્યું છે તે સાચો હશે કે નહિ મને તેનો લાભ મળશે કે નહિ ? જીવદિ તત્ત્વો આ પ્રકારે હશે કે નહિ ! નિગોદ જેવી કાં જીવયોનિના અસ્તિત્વની શંકા થાય. આવી શંકા અલ્પાધિક હોય છે. તેથી તે | દેશ (અલ્પ) કે પૂર્ણ શંકા કહેવામાં આવે છે. સર્વજ્ઞના વચનમાં શંકા થવાથી સમકિતને દૂષણ લાગે છે. તેમના કહેલા તત્ત્વો ન સમજાય તે ઠીક છે, પરંતુ સમજવા પ્રયત્ન ન કરવો કે શ્રધ્ધા ન થવી તે મિથ્યાદ્રષ્ટિનું લક્ષણ છે. સાચો માર્ગ બતાવનાર હોય પણ શ્રધ્ધા ન થાય તો ઉપદેશરૂપ બીજ વૃદ્ધિ પામતું નથી. ખારી જમીનમાં બીજ બળી જાય તેવી દશા થાય છે. માટે યોગ્ય ગુરુ. પાસે ઉપદેશ ગ્રહણ કરવો. *| ૨. કાંક્ષા : અન્ય ધર્મમાં કોઈ સગવડો, બાહ્યાડંબર જોઈને તે ધર્મમાં 4 ખા રૂચિ થવી જેમકે અન્યમતમાં વાહન, શયનની સગવડો હોય છે. વળી, ઉપવાસમાં પણ મિષ્ટાન્ન જેવા પદાર્થોનો આહાર થઈ શકે. સ્નાનાદિ થઈ શકે છે. વગેરે સગવડોથી જીવને તે ધર્મમતની આકાંક્ષા થઈ જાય છે ને દોષ છે અથવા પરલોકના સુખની આબંન્ના થવી કે ધર્મના ફળરૂપે ભૌતિક સુખોની *| આકાંક્ષા થવી તે દોષ છે, તે મનને વ્યાકુળ કરનારા છે. આવી શંકા અને આકાંક્ષા જેવા અતિચારો ધર્મના સાચા અર્થપણાના અભાવે થાય છે. સાચી ભૂખના અભાવે રોગી ઉત્તમ ભોજનમાં પણ દોષ કાઢે | છે. તેમ ધર્મનું સત્ય સ્વરૂપ ન સમજવાને લીધે જીવ જિનવચનોમાં શંકા અને ખા અન્ય મતમાં આકાંક્ષા કરે છે. જેને વસ્તુત: આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, જન્મમરણ રહિત સુખ પામવું છે તેણે કાંક્ષાનો ત્યાગ જરૂરી છે. મોહને કારણે ઇન્દ્રિય સુખ લલચાવે છે દા અને જીવને સ્વરૂપથી દૂર ફેંકી દે છે. માટે આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવું '' તેવા ધર્મની કક્ષાને વળગી રહેવું. * ૩. વિચિકિત્સા : નિંદા, ચિત્તની વિક્ષિતતા - આકુળતા સંદેહ, | અરુચિ, યુક્તિ અને આગમથી જૈનધર્મ સત્ય છે એવી ભાવના થયા પછી પણ ! | ચારિત્રના કષ્ટકારી તપનું ફળ મળશે કે નહિ તેવી આકુળતા રહે છે. આવી | F. FI $ $ E $ $ | F. $ $ $ | F_F_F_F_F $ $ 5| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy