SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ F | 646 | 646 Sto F S4 E S4 F S46 E S46 H S46 G S46 F મુક્તિબીજ માર્ગાનુસારિતામાં પાંત્રીસ ગુણોમાં ધન કમાવું, ઘર બાંધવું. વિવાહ સંબંધ F[ જેવાં કાર્યોને ગુણરૂપે માનવા, કે ધર્મઅનુષઠાન કેવી રીતે ગણવા? - જો કે, આવાં વિધિવાક્યો શાસ્ત્રમાં સાક્ષાત્ મળતાં નથી. આથી તે વિધિ "| ઓ ધર્મ છે એમ તો ન કહેવાય, પણ જે આચરણો શિષ્ટ પુરુષો કરતા હોવાથી તે પ્રાથમિક ભૂમિકામાં આવશ્યક ગણવા, તે આગમોનું કથન ન હોવા છતાં |_| શુદ્ધ સંપ્રદાયગત આચરણ છે. ' ધર્માનુષ્ઠનરૂપ ધર્મ અનુપચરિત નિશ્ચયનયથી અપ્રમત્ત સંયમીઓને જ હોય તેનાથી નીચેના પ્રમત્ત, દેશવિરતિ કે અવિરતિ સમદ્રષ્ટિને અપેક્ષાએ નિશ્ચય અને વ્યવહાર બંને નયથી હોય અને અપુનબંધક આદિ જીવોને | વ્યવહાર અપેક્ષાએ જ ધર્માનુષ્ઠાન હોય. આથી ઉપરના પાંત્રીસ ગુણોરૂપ સામાન્યધર્મ ગૃહસ્થધર્મ વ્યવહારનયથી અપુનબંધક વગેરે જીવોની અપેક્ષાએ સમજવો. શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાઓ ચૌદમાગુણસ્થાનકના ચરમ સમયે સ્વભાવરૂપ ધર્મ હોય તેમ કહેલું છે. અત્રે જે ધર્મનું સ્વરૂપ કહેવું છે તે શુદ્ધ નિશ્ચયધર્મનું નહિ પણ તેના કારણરૂપ જે અનુષ્ઠાનરૂપ વ્યવહારધર્મ છે, તેમાં કાર્યનો ઉપચાર કરીને તે અનુષ્ઠાનરૂપ વ્યવહારધર્મનું સ્વરૂપ કહેવાનું છે. આ ઉપરાંત અન્ય ગ્રંથોમાં ગૃહસ્થના સામાન્યધર્મરૂપ એક્વીસ ગુણો દર્શાવ્યા છે. તે પૂર્વની જેમ ગુણ ગુણીનો અભેદ સંબંધ જણાવવા માટે છે૧. અશુદ્ર :- ઉતાવળિયો કે છીછરો નહિ પણ ઉદાર, ધીર, ગંભીર. ૨. રૂપવાન :- પાંચે ઈન્દ્રિયોથી પૂર્ણ સમર્થ શરીરવાળો. ૩. પ્રકૃતિ સૌમ્ય :- સ્વભાવથી પાપ કર્મો નહિ કરનારો. શાંત સ્વભાવી, અન્યને પણ ઉપશમનું કારણ થના.. ૪. લોકપ્રિય :- નિંદનીય કામ નહિ કરનાર. વિનય સદાચાર યુક્ત. ૫. અદૂર:- કષાય કલેશ વિનાનો, પ્રસન્ન ચિત્તવાળો. ૬. ભીરુ :- આલોક-પરલોકનાં દુઃખોથી ડરનારો, પાપ ક્લંકથી ડરનારો. ૭. અશઠ :- વિશ્વસનીય, અન્યને છેતરનારો નથી. ભાવથી ધર્મ કરનારો. ૮. સુદાક્ષિણ્ય:- અન્યની પ્રાર્થના અનુસાર કરવાયોગ્ય કાર્યને નિ:સ્વાર્થપણે કરનારો. ૭૬ Glo E 646 F 546 E 546 H 546 G St. F Glo E 946 F 946 | E 1546 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy